For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાંથી 5 કિલોમીટર દૂર અવંતીપોરા એરબેઝ પર આતંકી હુમલાનું એલર્ટ

ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આતંકી શ્રીનગર અને અવંતીપોરા એરબેઝને નિશાનો બનાવવાની ફિરાકમાં છે.

|
Google Oneindia Gujarati News

ઇન્ટેલિજન્સ સૂત્રો ઘ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આતંકી શ્રીનગર અને અવંતીપોરા એરબેઝને નિશાનો બનાવવાની ફિરાકમાં છે. ઇન્ટેલિજન્સ એલર્ટ પછી સુરક્ષાબળો ઘ્વારા આ એરબેઝ આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અવંતીપોરા એરબેઝ પુલવામાંથી ફક્ત 5 કિલોમીટર દૂર આવેલું છે. આ એરબેઝ અવંતીપોરાના મલંગપોરામાં છે.

jammu and kashmir

એક દિવસમાં ત્રણ એન્કાઉન્ટર પછી ચેતવણી

આ એલર્ટ એવા સમયે આવ્યું છે જયારે ગુરુવારે કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ એન્કાઉન્ટર થયું છે. સાઉથ કાશ્મીરના પુલવામાં અને શોપિયાં સહીત નોર્થ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોએ આતંકીઓને ઠાર કર્યા હતા. પુલવામાંમાં ત્રણ આતંકીઓ અને શોપિયાંમાં પણ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પુલવામાંમાં સુરક્ષાબળો ઘ્વારા જેશ-એ-મોહમ્મદના કમાન્ડર ખાલિદને ઠાર મારવામાં આવ્યો હતો, જે પાકિસ્તાનનો નાગરિક હતો. કુપવાડાના કાંડી જંગલોમાં આ સમયે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આ એન્કાઉન્ટર ગુરુવારે શરુ થયું હતું.

આ પણ વાંચો: પુલવામામાં સેનાની આતંકીઓ સાથે અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

પુલવામામાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સેનાને શોપિયાંમાં મોટી સફળતા મળી હતી. સેનાએ અહીં ઈસ્લામિક સ્ટેટના જમ્મુ કાશ્મીર કમાંડર ઈશફાક સોફીને મારી દીધો હતો. ઘાટીમાં સેનાની આ સફળતાને ઘણી મોટી માનવામાં આવી હતી.

English summary
Government sources have said that terrorists are planning to carry out attack on Srinagar and Awantipora air bases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X