જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં પીડીપી નેતાના સુરક્ષાકર્મીને આતંકીઓએ ગોળી મારી
જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં પીડીપી નેતાના સુરક્ષાકર્મીને આતંકીઓએ ગોળી મારી
અનંતનાગઃ કાશ્મીરના અનંતનાગથી એક સમાચાર આવી રહ્યા છે. અહીં આતંકવાદીઓએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા સજ્જાદ મુ્ફ્તીના સિક્યોરિટી ઑફિસરની ગોળી મારી હત્યા કરી દીધી છે. અનંતનાગ દક્ષિણ કાશ્મીરમાં આવે છે અને આ મામલે હાલ વધુ જાણકારીનો ઈંતેજાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓનું નિશાન મુફ્તી જ હતો પરંતુ આ હુમલામાં તેઓ બચી ગયા.
એક અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે સજ્જાદ મુફ્તી એક બિઝબેહરાના બાબા મોહલ્લા વિસ્તારમાં સ્થિત મસ્જિદમાં પ્રાર્થના કરવા ગયા હતા. પીએસઓ ફારુક અહમદ મસ્જિદ બહાર તેમનો ઈંતેજાર કરી રહ્યા હતા કે અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો. ફારુક અહમદ દિરપોરા ખીરમના રહેવાસી હતા. તેમને તુરંત હોસ્પિટલે લઈ જવામાં આવ્યા પરંતુ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કરી દીધા. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર અહમદની સર્વિસ રાઈફલ સાથે ફરાર થઈ ગયો છે. આ વાતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે.
સોનભદ્ર નરસંહારઃ મૃતકોના પરિજનોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને પોલિસે કસ્ટડીમાં લીધા