CBSCએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કેવી રીતે બનશે 12માંનું રિઝલ્ટ, 10માં અને 11માંના રિઝલ્ટ પરથી કરાશે નક્કી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ની 12 મી પરીક્ષાઓ આ વર્ષે કોરોનાવાયરસ રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સીબીએસઇ દ્વારા 12 મા ધોરણના વિદ્યાર્થીઓને નંબર અને ગ્રેડ આપવાનો આધાર શું હશે તે માટે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ની 12 મી પરીક્ષાઓ આ વર્ષે કોરોનાવાયરસ રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સીબીએસઇ દ્વારા 12 મા ધોરણના વિદ્યાર્થીઓને નંબર અને ગ્રેડ આપવાનો આધાર શું હશે તે માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે 12 મા ધોરણના વિદ્યાર્થીઓને નંબર આપવાનો આધાર શું હશે. સીબીએસઇ વતી, સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે 12 મા ધોરણનાં પરિણામ માટે વિદ્યાર્થીનાં 10 મા અને 11 મા ગુણના 30-30 ટકા અને 12 મા ધોરણનાં 40 ટકા આંતરિક ગુણને આધારે બનાવવામાં આવશે.

સીબીએસઈ દ્વારા 12 મા પરિણામ લાવવાના નિર્ણયની નીતિ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ જે માહિતી આપવામાં આવી છે. તેના અનુસાર 10માંના ગુણના 30 ટકા, 11 માંના ગુણના 30 ટકા અને 12 મા ગુણના 40 ટકાના આધારે નંબર આવશે. 10માંના 5 વિષયોમાંથી 3 વિષયના શ્રેષ્ઠ ગુણ લેવામાં આવશે, 11 ના સરેરાશ પાંચ વિષયો લેવામાં આવશે અને 12 માં પૂર્વ બોર્ડની પરીક્ષા, યુનિટ, ટર્મ અને પ્રેક્ટિકલમાં મેળવેલા ગુણ ધ્યાનમાં લેવામાં આવશે.
એ.જી.કે.કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, બારમા ધોરણ માટે અંતિમ ગુણ આપવાના સંદર્ભમાં વિવિધ શાળાઓના નંબર આપવાની પદ્ધતિમાં રહેલા તફાવતને ધ્યાનમાં લેવા મધ્યસ્થ સમિતિની રચના કરવામાં આવશે. સીબીએસઈની હજારો શાળાઓ માટે પરિણામ સમિતિની રચના કરવામાં આવશે, શાળાના બે શિક્ષકો અને પાડોશી શાળાના એક શિક્ષક, શાળાના ગુણને અતિશયોક્તિ ન કરે તેની ખાતરી કરવા મધ્યસ્થતા સમિતિમાં રહેશે.
31 જુલાઇએ પરિણામ આવશે
સીબીએસઇ તરફતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 12 માંનુ પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે, જે બાળકો પરિણામથી સંતુષ્ટ નહીં થાય. તેમને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે, આ માટે એક માર્ગદર્શિકા બનાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળાને કારણે પરીક્ષાઓ રદ થયા પછી સીબીએસઈ દ્વારા 13 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિને રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ગુણ કેવી રીતે આપવા તે જણાવવ્યુ હતુ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
