'કેન્દ્ર સરકારે મંદિર તોડવાનો આદેશ આપ્યો હતો', AAPએ બતાવ્યો પત્ર
નવી દિલ્હી, 23 એપ્રીલ: રાજસ્થાનના અલવરમાં 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાનો મુદ્દો, દિલ્હીના જહાંગીરપુરીમાં 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાનો મામલો ચાલી રહ્યો છે, ત્યારે MCDના અતિક્રમણ વિરોધી અભિયાનનો મામલો ઠંડો પડ્યો નથી.
અલવરના રાજગઢ શહેરમાં અતિક્રમણ હેઠળ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું, જે બાદ ભાજપ ગેહલોત સરકાર પર પ્રહાર કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના નેતા આતિશીએ તેના ટ્વિટર અકાઉન્ટ પર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો એક પત્ર પોસ્ટ કર્યો છે, જેમાં દિલ્હીમાં એક મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પત્રમાં 7 દિવસમાં જમીન ખાલી કરવાનો આદેશ
અલવરના રાજગઢમાં 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા આતિશીએ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ એકપત્ર શેર કર્યો છે, જેમાં દિલ્હીના શ્રીનિવાસપુરી વિસ્તારમાં એક મંદિરને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ધાર્મિક માળખુંસરકારી જમીન પર કોઈપણ સત્તા વગર બનાવવામાં આવ્યું હતું. પત્રમાં આદેશ આપવામાં આવ્યો હતો કે, 7 દિવસની અંદર જમીન ખાલી કરવી પડશે, જો નહીં તોમંદિર તોડી પાડવામાં આવશે.
|
અલવર કલેક્ટરે આ ઘટનાની આપી જાણકારી
આવા સમયે રાજગઢના મંદિરને તોડવાની કાર્યવાહી પર અલવર કલેક્ટર અનુસાર, સર્વસંમતિ સધાઈ ગયા બાદ મંદિરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અલવર જિલ્લા કલેક્ટર નકાતે શિવપ્રસાદ મદાને જણાવ્યું હતું કે, 6 એપ્રીલના રોજ દરેકને વ્યક્તિગત રીતે નોટિસ આપવામાં આવી હતી અને અતિક્રમણ વિરોધીઅભિયાનના બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી.
17 એપ્રીલ અને 18 એપ્રીલના રોજ અતિક્રમણ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલિશનડ્રાઇવ દરમિયાન કોઈ કાનૂની માળખું તોડવામાં આવ્યું નથી અને કોઈ વિરોધ થયો નથી.

સર્વસંમતિથી હટાવવામાં આવ્યું મંદિર
અલવરના એડીએમ સુનીતા પંકજના જણાવ્યા અનુસાર, રાજગઢ નગરપાલિકા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક પ્રસ્તાવ લાવી હતી, જે 17 એપ્રીલના રોજ લાગુ કરવામાંઆવી હતી.
લોકોને અગાઉ જાણ કરવામાં આવી હતી કે, આ મંદિર હટાવવામાં આવશે, ત્યારથી અત્યાર સુધી અમને સ્થાનિક લોકો તરફથી કોઈપણ પ્રકારના વિરોધમાટે કોઈ અરજી મળી નથી.
તેમણે જણાવ્યું કે, ગટર પર 3 મંદિર, 2 ખાનગી અને 1 જાહેર મંદિર બનાવવામાં આવ્યું છે. વહીવટીતંત્રે સર્વાનુમતે લોકો પાસેથી મૂર્તિઓહટાવી હતી. નગરપાલિકા દ્વારા નિર્વિવાદ સ્થળે લોકોની સર્વસંમતિથી મંદિર બનાવવામાં આવશે.