25 વર્ષ બાદ મળ્યું જમીનનું વળતર, સુપ્રીમ કોર્ટના ચુકાદાએ બનાવ્યો કરોડપતિ
સુપ્રીમ કોર્ટ દ્વારા શનિવારના રોજ નોઈડા ઓથોરિટીને 1997માં નોઈડાના છલેરા બાંગર ગામમાં 7400 ચોરસ મીટરના બે પ્લોટ ખરીદનાર વ્યક્તિને 100 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા શનિવારના રોજ નોઈડા ઓથોરિટીને 1997માં નોઈડાના છલેરા બાંગર ગામમાં 7400 ચોરસ મીટરના બે પ્લોટ ખરીદનાર વ્યક્તિને 100 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે જમીન ખરીદ્યા બાદ તેનો કબ્જો મેળવ્યો ન હતો, એમ કહીને નોઈડા ઓથોરિટીએ તેમને કહ્યું હતું કે, જમીન તેમના કબ્જામાં છે.
મોટા બિલ્ડરના કબ્જામાં આવેલી જમીન
ટ્રાયલ કોર્ટ તરફથી જમીન પર સ્ટે હોવા છતાં, સત્તાધિકારીએ જમીન સંપાદિત કરી અને 2004 માં ટેન્ડર બહાર પાડ્યું, જમીનનો કબ્જો મોટા બિલ્ડરને ટ્રાન્સફર કર્યો હતો. નીચલી કોર્ટમાં જે સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો, તેને હાઈકોર્ટ અને પછી છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
1.10 લાખ પ્રતિ ચોરસ મીટર
આ કેસની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે જમીન માલિકની તરફેણમાં ચુકાદો આપતાં 7400 ચોરસ મીટર જમીનનું 1.10 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે વળતર આપવાનો આદેશ આપ્યો હતો.