કોંગ્રેસ પ્રેમ રાષ્ટ્રવાદની વિચારધારા પર ભારે પડી રહી છે ભાજપ સંઘની નફરતની વિચારધારા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ પાર્ટીના ડિજિટલ 'જન જાગરણ અભિયાન'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે પાર્ટીના નેતા સલમાન ખુર્શીદના પુસ્તક પર ચાલી રહેલા વિવાદને લઈને આડ કતરી રેતે વાત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ પાર્ટીના ડિજિટલ 'જન જાગરણ અભિયાન'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે પાર્ટીના નેતા સલમાન ખુર્શીદના પુસ્તક પર ચાલી રહેલા વિવાદને લઈને આડ કતરી રેતે વાત કરી હતી. રાહુલે ગાંધીએ જણાવ્યું હતું કે, આખરે હિન્દુ ધર્મ અને હિન્દુત્વમાં શું તફાવત છે, શું તે એક જ વસ્તુ છે.
હિંદુ ધર્મ શીખ કે મુસ્લિમને મારી નાખવાનું કામ કરતો નથી, પરંતુ તે હિંદુત્વનું કામ છે
જો તે એક જ વસ્તુ છે, તો શા માટે આપણે તેમના માટે એક જ નામનો ઉપયોગ નથી કરતા? આ દેખીતી રીતે બે અલગ વસ્તુઓ છે. હિંદુ ધર્મ શીખ કે મુસ્લિમને મારી નાખવાનું કામ કરતો નથી, પરંતુ તે હિંદુત્વનું કામ છે.

ભાજપ સંઘની નફરતની વિચારધારા કોંગ્રેસના પ્રેમ અને રાષ્ટ્રવાદ કરતા વધારે
જે બાદ રાહુલે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. રાહુલે જણાવ્યું હતું કે, આજે લોકો હિંદુ ધર્મ અને હિંદુત્વને એક સમજવા લાગ્યા છે, જ્યારે આ બંને અલગ વસ્તુઓ છે. આપણને તે ગમે કે ન ગમે, ભાજપ સંઘની નફરતની વિચારધારા કોંગ્રેસના પ્રેમ અને રાષ્ટ્રવાદ કરતા વધારે છે. આપણે તેને સ્વીકારવું પડશે.
કોંગ્રેસની વિચારધારા ફેલાવવાની જરૂર
રાહુલે જણાવ્યું હતું કે, અમારી વિચારધારા હજૂ પણ જીવંત છે, જીવે છે, પરંતુ તેની અસર કંઈક અંશે ઘટી ગઈ છે. પાર્ટીની વિચારધારાને આગળ લઈ જવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, તેની અસર ઓછી થઈ છે. કારણ કે, અમે તેને આપણા લોકોમાં યોગ્ય રીતે ફેલાવી શક્યા નથી.
રાહુલે તેમની યોજના વિશે વધુમાં કહ્યું, અમારી કોંગ્રેસમાં કોઈપણ વ્યક્તિ માટે તાલીમ મહત્વપૂર્ણ છે, પછી ભલે તે ગમે તેટલો સિનિયર હોય, કે ગમે તેટલો જુનિયર હોય. પદ્ધતિસરની તાલીમ મહત્વપૂર્ણ છે અને આપણે તેને આખા દેશમાં કરવાની છે. જો આપણે આપણી વિચારધારાને અનુસરીએ તો અમારી સંસ્થાને અમે આગળ વધી શકીએ છીએ.
સલમાન ખુર્શીદના પુસ્તકને લઈને થયો હતો વિવાદ
નોંધપાત્ર રીતે સલમાન ખુર્શીદે તેમના નવા પુસ્તકમાં હિંદુત્વની વિચારધારાની સરખામણી ISIS અને બોકો હરામ જેવી જેહાદી ઈસ્લામિક વિચારધારા સાથે કરી છે. આ અંગે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી જવાબ માંગ્યો હતો.












Click it and Unblock the Notifications
