પંજાબમાં જેલ સુરક્ષાને લઈને સરકાર સખ્ત, જાણો શું કહ્યું સુરક્ષા મંત્રીએ?
પંજાબમાં લાંબા સમયથી જેલની સુરક્ષાને લગતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પંજાબની જેલોમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન અને નસીલી વસ્તુઓને લઈને હવે પંજાબ સરકાર એક્શમાં જોવા મળી રહી છે.
અમૃતસર : પંજાબમાં લાંબા સમયથી જેલની સુરક્ષાને લગતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પંજાબની જેલોમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન અને નસીલી વસ્તુઓને લઈને હવે પંજાબ સરકાર એક્શમાં જોવા મળી રહી છે.

જેલની સુરક્ષાને લઈને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મંત્રી હરજોત બૈંસ અમૃતસર જેલની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, છેલ્લા 7 મહિનામાં પંજાબની જેલોમાંથી 3600 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માત્ર અમૃતસર જેલમાં જ 7 મહિનામાં 750 મોબાઈલ ફોન મળી આવ્યા છે.
તેમણે આગળ કહ્યું કે, આજે પણ જેલની દિવાલો તોડીને મોબાઈલ રિકવર કરાયા છે. પંજાબની કાનૂન વ્યવસ્થા જેલથી જ ઠીક થઈ શકે છે. આ મુદ્દે સરકાર સખત પગલા ભરશે.
અહીં તેમણે મોટુ નિવેદ આપતા કહ્યું કે, પંજાબ સરકાર જેલમાં કેદીઓ માટે બોડી સ્કેનક લાવશે. આનાથી પુરી બોડી ચેક થશે અને જો કોઈ વસ્તુ છુપાવી હશે તો તે પકડવામાં આસાની રહેશે. આ સિવાય જેલમાં ઝામર લવાવવાને પણ પ્રાથમિકતા અપાશે. આ ઉપરાંત જે જેલમાં ગૈગસ્ટર બંધ છે તેની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરાશે.












Click it and Unblock the Notifications
