ખેડૂતો પર લાઠીચાર્જની ઘટના તાલિબાની માનસિકતા છે-સંજય રાઉત
હરિયાણાના કરનાલમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસ લાઠીચાર્જ બાદ રાજનીતિ ગરમાઈ છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
હરિયાણાના કરનાલમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલીસ લાઠીચાર્જ બાદ રાજનીતિ ગરમાઈ છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એટલું જ નહીં, સંજય રાઉતે ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની તુલના તાલિબાની વિચારસરણી સાથે કરી છે. સંજય રાઉતે કહ્યું કે ખેડૂતો પર લાઠીચાર્જની ઘટના દેશ માટે શરમજનક ઘટના છે. આ તાલિબાની માનસિકતા છે. આ સરકાર કેવી રીતે કહી શકે કે તે ગરીબો અને ખેડૂતોની સરકાર છે? આ સરકાર ખેડૂતોના મનની વાત પણ સાંભળતી નથી.

અખિલ ભારતીય કિસાન મઝદુર સભા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જમાં એક ખેડૂતનું મોત થયું છે. ખેડૂતોએ પોલીસના વલણ પર સવાલ ઉઠાવતા પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. અખિલ ભારતીય કિસાન મઝદુર સભાના મહામંત્રી ડો.આશિષ મિત્તલે દાવો કર્યો છે કે પોલીસે SDM ના આદેશ પર કરનાલ ટોલ પાસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ખેડૂત સુશીલ ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું છે. સાથે જ પોલીસે ખેડૂતોના આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે પોલીસના લાઠીચાર્જમાં કોઈ ખેડૂતનું મોત થયું નથી.
આ ઘટના બાદ અખિલ ભારતીય કિસાન સભાએ માત્ર SDM ને સસ્પેન્ડ કરવાની જ નહીં પરંતુ તેની ધરપકડ કરવાની પણ માંગ કરી છે. વીડિયો ક્લિપમાં એસડીએમના નિવેદનનો ઉલ્લેખ કરીને ખેડૂતોએ કહ્યું કે તે વીડિયોથી સ્પષ્ટ છે કે એસડીએમએ પોલીસને ખેડૂતોને મારવા કહ્યું હતું. જણાવી દઈએ કે SDM આયુષ સિંહાએ વીડિયોમાં કહ્યું હતું કે જો ખેડૂત આગળ વધવાનો પ્રયત્ન કરે અને વિરોધ કરે તો તેનું માથું તોડી નાખો. પોલીસના લાઠીચાર્જમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.












Click it and Unblock the Notifications
