કેરળ બાદ તમિલનાડુમાં પૂરનું જોખમ, કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી
સમગ્ર કેરળ હાલમાં પ્રકૃતિનો પ્રકોપ સહી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદ થયેલા ભૂસ્ખલન અને પૂરના કારણે મૃતકોની સંખ્યા હવે 67 સુધી પહોંચી ગઈ છે.
સમગ્ર કેરળ હાલમાં પ્રકૃતિનો પ્રકોપ સહી રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદ થયેલા ભૂસ્ખલન અને પૂરના કારણે મૃતકોની સંખ્યા હવે 67 સુધી પહોંચી ગઈ છે જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે તો વળી, મોટી સંખ્યામાં લોકો ગાયબ પણ છે. કેરળના કહેર બાદ હવે કર્ણાટક અને તમિલનાડુમાં પણ ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યુ છે.

તમિલનાડુના પણ 12 જિલ્લામાં પૂરની ચેતવણી
તમિલનાડુમાં સેન્ટ્રલ વોટર કમિશના કાવેરી નદી અંગે ચેતવણી જારી કરી છે. અહીં મેટ્ટુર બંધમાં પાણી તેની મહત્તમ ક્ષમતાથી ઉપર આવી ગયુ છે જે કર્ણાટકના કૃષ્ણારાજ સાગર અને કાબિની બંધમાંથી પાણી છોડાયા બાદ થઈ રહ્યુ છે જેનાથી પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

કર્ણાટકમાં પણ ભારે વરસાદનું અનુમાન
આ જ કારણોસર બંને રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મેટ્ટુરનું સ્ટેનલી જળાશય 120 ફૂટની પોતાની ક્ષમતા ભરી ચૂક્યુ છે. ત્યારબાદ તમિલનાડુના 12 જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

કેરળના 9 જિલ્લા હજુ પણ રેડ એલર્ટ પર
વળી, કેરળના 9 જિલ્લા હજુ પણ રેડ એલર્ટ પર છે. ભારે વરસાદના કારણે કોચ્ચિ એરપોર્ટને 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે. 85000 થી વધુ લોકોને રાજ્યના અલગ અલગ ભાગોમાં બનાવવામાં આવે લ 718 રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. કેરળની બગડતી પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી છે અને તેમને દરેક સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
