For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરોગ્ય મંત્રાલયે હોમ આઈસોલેશન માટે જારી કરી નવી ગાઈડલાઈન

આરોગ્ય મંત્રાલયે કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હોમ આઈસોલેશન પર જવાની છૂટ આપી છે પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી આ વિશે નવી ગાઈડલાઈન જારી કરી છે

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાયરસના 67,152 કેસ સામે આવ્યા છે. આમાંથી 44,029 એક્ટિવ કેસ છે. 20,917 લોકો રિકવર થઈ ગયા છે અને 2206 લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં 22,171 કેસ સામે આવ્યા છે. આમાંથી 4199 લોકો રિકવર થઈ ગયા છે.

આરોગ્ય મંત્રાલયે લીધો નિર્ણય

આરોગ્ય મંત્રાલયે લીધો નિર્ણય

સંક્રમિત દર્દીઓની સંખ્યાને જોતા આરોગ્ય મંત્રાલયે કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓને હોમ આઈસોલેશન પર જવાની છૂટ આપી છે પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી આ વિશે નવી ગાઈડલાઈન જારી કરી છે જેમાં લખેલી વાતોનુ પાલન કરવુ ખૂબ જ જરૂરી છે.

કોરોના સંક્રમિત દર્દીઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે

કોરોના સંક્રમિત દર્દીઓને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે

  • પહેલા ખૂબ જ ઓછા લક્ષણવાળા દર્દી, જેમને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે.
  • બીજા એવા દર્દી જેમને કોરોનાા ત્રણ કે ચાર લક્ષણ દેખાય છે, આ દર્દીઓને કોવિડ હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે.
  • ત્રીજા એવા દર્દી જેમાં કોરોનાના બધા લક્ષણ દેખાય છે, આવા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં રાખવામાં આવે છે.

આ છે ગાઈડલાન્સ

  • કોરોના સંક્રમિત દર્દી હોમ આઈસોલેશનમાં ત્યારે જ જઈ શકે છે જ્યારે ડૉક્ટર પોતાના રિપોર્ટમાં દર્દીને ઘરે જવાની મંજૂરી આપે.
  • બીજુ દર્દી પાસે ઘરે આઈસોલેશનની સુવિધા ઉપલબ્ધ હોય.
  • ઘરે દરેક વ્યક્તિ 24 કલાક તેની સાથે રહેનાર હોવુ જોઈએ.
  • હોસ્પિટલ સાથે દર્દી દરેક સમયે સંપર્કમાં હોય.
  • દર્દીના મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ પણ હોવી ખૂબ જ જરૂરી છે.
  • દર્દીનો હેલ્થ રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીને હોવો જોઈએ.
  • જે પણ દર્દી હોમ આઈસોલેશનમાં જશે તેણે એક ફોર્મ ભરવાનુ રહેશે.
આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આપ્યુ મોટુ નિવેદન

આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને આપ્યુ મોટુ નિવેદન

વળી, રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યુ હતુ કે છેલ્લા 3 દિવસનો અમારો ડબલિંગ રેટ 12 દિવસ છે, અમારો રિકવરી રેટ દેશમાં 30 ટકાની ઉપર પહોંચી ગયો છે. 60,000માંથી લગભગ 20,000 દર્દી રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં મૃત્યુદર હજુ પણ 3.3 ટકા છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે મંડોલી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી. અહીં તેમણે કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકેલા દર્દીઓ સાથે પણ મુલાકાત કરી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 20,228 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 7796 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ ટ્રેનોના સંચાલનને યોગ્ય ગણાવી ચિદમ્બરમે કહ્યુ, આ રીતે જ માર્ગ અને હવાઈ પરિવહન શરૂ કરોઆ પણ વાંચોઃ ટ્રેનોના સંચાલનને યોગ્ય ગણાવી ચિદમ્બરમે કહ્યુ, આ રીતે જ માર્ગ અને હવાઈ પરિવહન શરૂ કરો

English summary
The Ministry of Health & Family Welfare has issued revised guidelines for home isolation of very mild/pre-symptomatic COVID19 cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X