નવા સંસદ ભવનને નવુ નામ અપાઈ શકે, જાણો શું હોઈ શકે છે નામ?
લોકશાહીની પરંપરાઓને નજરઅંદાજ કરીને રાષ્ટ્રપતિની જગ્યાએ ખુબ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. 28 મેંના રોજ ઉદઘાટન થાય તે પહેલા હવે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મોદી સરકારે કરોડોના ખર્ચે નવુ સંસદ ભવન બનાવ્યુ છે. આ સંસદ ભવનનું 28 મેંના રોજ ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ સંસદ ભવનમાં ભારતને આઝાદ કરાવનારા મોટા નેતાઓની પ્રતિમાઓ જોવા મળશે. હવે અહેવાલો આવી રહ્યા છે કે આ સંસદ ભવનને નવુ નામ અપાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓના વિરોધ વચ્ચે ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે આ સંસદ ભવનને નવુ નામ આપી શકે છે. જો કે હજુ સુધી આ નામની જાહેરાત કરાઈ નથી. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કર્યુ હતું.
અહેવાલો અનુસાર, નવી સંસદમાં ત્રણ પ્રવેશદ્વાર હશે અને તેના અલગ અલગ નામ અપાયા છે.આ ત્રણ દ્વાર જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર તરીકે ઓળખાશે. વર્તમાન સંસદના પ્રવેશદ્વારો સંખ્યાત્મક રીતે ગેટ નંબર 1, 2 અને 3થી ઓળખાશે.
હાલ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે તમામ તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. ઉદઘાટન કાર્યક્રમની મોકડ્રીલ પણ કરવામાં આવી હતી.
એક તરફ સરકાર નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહી છે તો બીજી તરફ દેશની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ સમારોહનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે પીએમ મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંસદ ભવનનું ઉદઘાટન કરે.
આ નવા સંસદ ભવનને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે તૈયાર કર્યુ છે. 1200 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સંસદ ભવનમાં 1224 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા છે. આ સિવાય દરેકના ટેબલ પર મતદાન અને કાર્યવાહીને લગતી બાબતો માટે હાઇટેક વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સંસદ ભવનમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
