PNB SCAM: રૂપ બદલીને લંડનના રસ્તાઓ પર રખડી રહ્યો છે નીરવ મોદી
PNB SCAM: રૂપ બદલીને લંડનમાં રખડી રહ્યો છે નીરવ મોદી
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના 13000 કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલ હીરા કારોબારી નીરવ મોદીએ પોતાનો લુક બદલી નાખ્યો છે. લંડનના રસ્તાઓ પર નીવ મોદી કોઈપણ પ્રકારના ડર વીના ફરી રહ્યો છે. પીએનબી સ્કેમના મુખ્ય આરોપી નીરવ મોદીએ પોતાનું રૂપ બદલી લીધું છે. ભારતની તપાસ એજન્સીઓ તેમની તલાશમાં લાગી ગઈ છે અને નીરવ મોદી લંડનના રસ્તા પર બેખૌફ થઈ ફરી રહ્યા છે.
ધી ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ હીરા કારોબારી નીરવ મોદી પાસે લંડનમાં પોતાનું ઘર છે અને તેણે ત્યાં પણ પોતાનો કારોબાર શરૂ કરી લીધો છે. અંગ્રેજી અખબારના રિપોર્ટરે લંડનના રસ્તા પર જ્યારે નીરવ મોદીને સ્પોટ કર્યો તો તેણે કેટલાય સવાલો કર્યા, પરંતુ નીરવ મોદી નીરવ મોદી પૂરી રીતે તે સવાલોથી બચતો જોવા મળ્યો. ધી ટેલિગ્રાફે નીરવ મોદીનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેનો લૂક પૂરી રીતે બદલતો જોવા મળી રહ્યો છે. તેણે દાઢી-મૂંછ વધારી લીધી છે. નીરવ મોદી કોઈનાથી પણ ડરી ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને હંસતા હંસતા તે રિપોર્ટરના સવાલને ટાળી રહ્યો છે. લેધ જેકેટ પહેરનાર નીરવ મોદીને ઓળખવો બહુ મુશ્કેલ નથી.
અખબારના રિપોર્ટરે તેને જ્યારે સવાલ કર્યા ત્યારે નીરવ મોદીએ એકપણ સવાલનો જવાબ ન આપ્યો. તે સવાલોને ટાળતો રહ્યો. જણાવી દઈએ કે ભારતીય બેંકોના 13000 કરોડ રૂપિયા લઈને તે ફરાર થઈ ચૂક્યો છે હાલ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી ચૂકી છે. જો કે નીરવ મોદીના પ્રત્યર્પણ મામલામાં બ્રિટનના અધિકારીઓ તરફથી સહકાર ન મળતા ભારતીય અધિકારીઓ નારાજ છે. ભારતીય અધિકારીઓ ઉમ્મીદ જતાવી રહ્યા હતા કે તેઓ નીરવ મોદીની અસ્થાયી રૂપે ધરપકડ કરશે, જેથી ન્યાયિક પ્રક્રિયા શૂ થઈ શકે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી. ઈડી તરફથી બ્રિટનના અધિકારીઓને કેટલાય રિમાન્ડર મોકલવામાં આવ્યા, પરંતુ લંડનના અધિકારીઓએ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચો- ચોરી નથી થયાં રાફેલના દસ્તાવેજ, ફોટોકોપીનો ઉપયોગ થયોઃ એટર્ની જનરલ