અયોધ્યાનો પ્રતિષ્ઠિત સરયૂ ઘાટ, સંધ્યા આરતીની ઝલકઃ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ayodhya Sarayu Ghat Sandhya Aarti: અયોધ્યામાં સૂરજ આથમતા જ સરયૂ નદીના કિનારે નવા ઘાટ પર એક શાંત ચમક દેખાય છે. એક ગરિમામય માહોલ પવિત્ર સ્થળ પર છવાઈ જાય છે. વર્ષના 365 દિવસની દર સાંજે નમામિ સરયૂ સેવા ટ્રસ્ટ એક દિવ્ય દ્રશ્ય આયોજિત કરે છે - સરયૂ ઘાટ પર સંધ્યા આરતી, એક પરંપરા જેણે એક દશકથી અયોધ્યાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે.
શિયાળા દરમિયાન સાંજે 6 વાગ્યે, નમામી સરયુ સેવા ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા રાકેશજી રાજા મહારાજના ત્રણ સમર્પિત શિષ્યો વહેતી સરયુ નદીની સામે ઉંચા મંચ પર સંધ્યા આરતી શરૂ કરવા માટે તૈયાર હોય છે.

ટીમ તરફથી બોલતા રાકેશજી રાજા મહારાજ જણાવે છે કે કેવી રીતે આ અનુષ્ઠાન જાતિ, પંથ અને ધર્મથી પરે જીવનના બધા ક્ષેત્રોના વ્યક્તિઓનુ ઉષ્માભેર સ્વાગત કરે છે.
આરતીનુ નેતૃત્વ કરતા અમિત મિશ્રા, અભિષેક પાંડે અને અજીત તિવારીની ત્રિપુટી સમારંભની ભવ્યતાને વધુ ભક્તિમય બનાવી દે છે. તેઓ એ ભાવનાનુ પ્રતિનિધિત્વ કરે છે કે હિંદુ સંસ્કૃતિમાં વણબોલ્યુ ઉંડાણ છે, જેને હજુ વધુ સંશોધિત કરવુ જોઈએ અને દૂર-દૂરના લોકોએ નદીના કિનારે આરતીના ઉંડાણના મહત્વને જોવુ જોઈએ, ભલે તે વારાણસીમાં ગંગા ઘાટ પર હોય કે અયોધ્યામાં સરયૂ ઘાટ પર.

રાકેશજી રાજા મહારાજ અને તેમની ટીમે એક પરંપરાને જાળવી રાખી છે એટલુ જ નહિ પરંતુ સાંસ્કૃતિ રાજદૂત પણ બની ગયા છે, જે વ્યાપક દર્શકો સાથે હિંદુ અનુષ્ટાનોનો સાર જણાવી રહ્યા છે. આરતી, દીવડાઓની સ્વર લહેરી અને જય શ્રીરામના મંત્રો સાથે, એક આધ્યાત્મિક પ્રકાશ સ્તંભ તરીકે કાર્ય કરે છે. જે આગંતુકોને ભક્તિ અને પ્રદર્શનના મિશ્રણનો અનુભવ કરવા માટે આમંત્રિત કરે છે.
અયોધ્યા આવનારાઓ માટે, સરયૂ નદીના તટે નવા ઘાટની યાત્રા આ ભવ્ય દ્રશ્યનુ દર્શાવે છે. અતૂટ ભક્તિ અને સરયૂ નદીના શાનદાર આકર્ષણનુ સામંજસ્યપૂર્ણ અભિસરણ, જે અયોધ્યાના સાંસ્કૃતિક વારસાના આધ્યાત્મિક સારને સમાહિત કરે છે.












Click it and Unblock the Notifications
