સુપ્રીમ કોર્ટે આપ્યો 40 માળના ટ્વીન ટાવર તોડવાનો આદેશ
રિયલ એસ્ટેટ કંપની સુપરટેકને મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ધોરણોનું ઉલ્લંઘન કરીને કંપની અને નોઈડા ઓથોરિટીના ઉલ્લંઘનમાં બાંધવામાં આવેલા 40 માળના બે ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હી : રિયલ એસ્ટેટ કંપની સુપરટેકને મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે ધોરણોનું ઉલ્લંઘન કરીને કંપની અને નોઈડા ઓથોરિટીના ઉલ્લંઘનમાં બાંધવામાં આવેલા 40 માળના બે ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે સુપરટેકને 12 ટકા વ્યાજ સાથે ટ્વિન ટાવર્સના ફ્લેટ માલિકોને રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે ટાવર્સને તોડવાનો ખર્ચ પણ સુપરટેકે જ ઉઠાવવો પડશે.
મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, 40 માળના બે ટાવરનું નિર્માણ નોઈડા ઓથોરિટી અને સુપરટેકના અધિકારીઓની મિલીભગતનું પરિણામ છે. નોઈડા સેક્ટર 93માં સુપરટેક એમેરાલ્ડ કોર્ટમાં આશરે 1,000 ફ્લેટ ધરાવતા ટ્વીન ટાવરનું નિર્માણ ધોરણોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું અને બે મહિનાના સમયગાળામાં સુપરટેક દ્વારા તેમના પોતાના ખર્ચે તોડી પાડવામાં આવશે. આ સિવાય નોઈડામાં ટ્વીન ટાવર્સના તમામ ફ્લેટ માલિકોને તેમની રકમ 12 ટકા વ્યાજ સાથે પરત કરવી પડશે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ સુપરટેકને મોટું નુકસાન સહન કરવું પડશે.
આ કેસ એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટમાં બિલ્ડિંગના નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત છે. આ કેસમાં 11 એપ્રિલ, 2014ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો જેની સામે રિયલ્ટી મેજર સુપરટેક લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે, સુપરટેકને સુપ્રીમ કોર્ટ તરફથી પણ આંચકો મળ્યો હતો અને ટાવરો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નોઈડા ઓથોરિટી, પ્લાનર્સ અને બિલ્ડર સુપરટેક વચ્ચેની મિલીભગતની ગંભીર નોંધ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, દરેક ટાવરમાં 1 હજાર ફ્લેટ છે, જે નિયમોની અવગણના કરીને બનાવવામાં આવ્યા હતા. આ સાથે કોર્ટે ટકોર કરી છે કે, ટાવર તોડતી વખતે અન્ય ઇમારતોને નુકસાન ન થવું જોઈએ.