For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC

રથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC

|
Google Oneindia Gujarati News

પુરીઃ કોરોના વાયરસ મહામારીને પગલે સુપ્રીમ કોર્ટે 23 જૂનના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની યાત્રા પર સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી તો ફભગવાન જગન્નાથ આપણને માફ નહિ કરે. કોરોના વાયરસ મહામારીને જોતા ઓરિસ્સા વિકાસ પરિષદ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખળ કરી હતી અને આ વર્ષે રથયાત્રા પર રોક લગાવવાની માંગ કરી હતી.

મંજૂરી આપી તો ભગવન માફ નહિ કરે

મંજૂરી આપી તો ભગવન માફ નહિ કરે

બુધવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા શરદ અરવિંદ બોબડેએ આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, જો અમે મંજૂરી આપી દીધી તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. મહામારીના સમયે આવાં આયોજન ના થઇ શકે. લોકોના સ્વાસ્થ્ય માટે આદેશ જરૂરી છે. લાઇવ લૉ વેબસાઇટ મુજબ કોર્ટે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે ઓરિસ્સાના મંદિર ક્ષેત્રમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન ના થાય.

સંક્રમણ ફેલાવાનો ખતરો

સંક્રમણ ફેલાવાનો ખતરો

રથ યાત્રા પર રોક લગાવવાની માંગ કરતી અરજીમાં અરજાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ રથયાત્રામાં દસ લાખ લોકો એકઠા થાય છે. જો આટલા લોકો રથયાત્રામાં સામેલ થાય છે તો સંકરમણનો ખતરો વધી શકે છે. જેના પર ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે જો દસ હજારની ભીડ હશે તો પણ ગંભીર વાત કહેવાશે. કોરટે એમ પણ આદેશ આપ્યો કે રથયાત્રા સાથે જોડાયેલ કોઈપણ ધાર્મિક ગતિવિધિ આ વર્ષે ઓરિસ્સામાં નહિ થાય.

એનજીઓએ અરજી કરી હતી

એનજીઓએ અરજી કરી હતી

અરજી પર સુનાવણીમાં કોર્ટે કહ્યું કે મહામારીના સમયે આવી સભાઓ ના થઇ શકે. સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપી ના શકાય. ખતરાની વચ્ચે લોકો એકઠા ના થાય, તેના માટે નાગરિકોની સાર્વજનિક સુરક્ષાના હિતમાં અમે આ આદેશ પાસ કરીએ છીએ. નવ દિવસ સુધી ચાલેલ રથ યાત્રામાં દર વર્ષે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. પુરીની રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની સાથે અલગ અલગ રથ પર સવાર થઇ શ્રી ગુંડિચા મંદિર માટે પ્રસ્થાન કરે છે.

Solar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશેSolar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્મત ખોલી દેશે

English summary
The Supreme Court stayed the rath yatra due to coronavirus pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X