રથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC
રથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC
પુરીઃ કોરોના વાયરસ મહામારીને પગલે સુપ્રીમ કોર્ટે 23 જૂનના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની યાત્રા પર સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી તો ફભગવાન જગન્નાથ આપણને માફ નહિ કરે. કોરોના વાયરસ મહામારીને જોતા ઓરિસ્સા વિકાસ પરિષદ નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખળ કરી હતી અને આ વર્ષે રથયાત્રા પર રોક લગાવવાની માંગ કરી હતી.

મંજૂરી આપી તો ભગવન માફ નહિ કરે
બુધવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા શરદ અરવિંદ બોબડેએ આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, જો અમે મંજૂરી આપી દીધી તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. મહામારીના સમયે આવાં આયોજન ના થઇ શકે. લોકોના સ્વાસ્થ્ય માટે આદેશ જરૂરી છે. લાઇવ લૉ વેબસાઇટ મુજબ કોર્ટે કહ્યું કે અમે આદેશ આપીએ છીએ કે ઓરિસ્સાના મંદિર ક્ષેત્રમાં આ વર્ષે રથયાત્રાનું આયોજન ના થાય.

સંક્રમણ ફેલાવાનો ખતરો
રથ યાત્રા પર રોક લગાવવાની માંગ કરતી અરજીમાં અરજાર તરફથી કહેવામાં આવ્યું હતું કે આ રથયાત્રામાં દસ લાખ લોકો એકઠા થાય છે. જો આટલા લોકો રથયાત્રામાં સામેલ થાય છે તો સંકરમણનો ખતરો વધી શકે છે. જેના પર ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે જો દસ હજારની ભીડ હશે તો પણ ગંભીર વાત કહેવાશે. કોરટે એમ પણ આદેશ આપ્યો કે રથયાત્રા સાથે જોડાયેલ કોઈપણ ધાર્મિક ગતિવિધિ આ વર્ષે ઓરિસ્સામાં નહિ થાય.

એનજીઓએ અરજી કરી હતી
અરજી પર સુનાવણીમાં કોર્ટે કહ્યું કે મહામારીના સમયે આવી સભાઓ ના થઇ શકે. સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપી ના શકાય. ખતરાની વચ્ચે લોકો એકઠા ના થાય, તેના માટે નાગરિકોની સાર્વજનિક સુરક્ષાના હિતમાં અમે આ આદેશ પાસ કરીએ છીએ. નવ દિવસ સુધી ચાલેલ રથ યાત્રામાં દર વર્ષે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. પુરીની રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની સાથે અલગ અલગ રથ પર સવાર થઇ શ્રી ગુંડિચા મંદિર માટે પ્રસ્થાન કરે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
