ડેન્માર્કના વડાપ્રધાનની ભારત મુલાકાત ઐતિહાસિક રહેશે, બંને દેશો કેટલા નજીક આવ્યા?
ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસનની 9 થી 11 ઓક્ટોબર, 2021ની ભારતની મુલાકાત સમાપ્ત થઈ છે. કોવિડ 19 મહામારી બાદ ભારતની મુલાકાત લેનારા પ્રથમ નેતા ડેનમાર્કના વડાપ્રધાન છે.
નવી દિલ્હી : ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસનની 9 થી 11 ઓક્ટોબર, 2021ની ભારતની મુલાકાત સમાપ્ત થઈ છે. કોવિડ 19 મહામારી બાદ ભારતની મુલાકાત લેનારા પ્રથમ નેતા ડેનમાર્કના વડાપ્રધાન છે અને ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન બંને દેશો ખૂબ નજીક આવ્યા છે અને બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે કૃષિ ક્ષેત્ર અને સંશોધન વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વના બની રહેશે.
ભારતીય નેતાઓ સાથે યોજી બેઠક
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ફ્રેડરિક્સન એક ઉચ્ચ સ્તરીય અધિકારી અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે હતા. ભારત અને ડેન્માર્કવચ્ચે દ્વિપક્ષીય આદાનપ્રદાનમાં વડાપ્રધાન ફ્રેડ્રિકસન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા અને વાતચીત કરી હતી.
આ સાથે તેઓ ભારતના રાષ્ટ્રપતિરામનાથ કોવિંદને પણ મળ્યા હતા. વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ડેનિશ વડાપ્રધાન ફ્રેડ્રિકસેનને પણ મળ્યા હતા અને આ દરમિયાન ભારત અને ડેન્માર્ક વચ્ચેનીમિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત થઈ હતી.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ગરમ અને મૈત્રીપૂર્ણવાતાવરણમાં યોજાઈ હતી, જે બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીને દર્શાવે છે. બંને પક્ષોએ સપ્ટેમ્બર 2020માં યોજાયેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન 'ગ્રીન સ્ટ્રેટેજિકપાર્ટનરશિપ' માં પ્રગતિની સમીક્ષા કરી હતી.
ભારત ડેન્માર્ક વચ્ચે કરાર
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેન્માર્કના વડાપ્રધાનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ કૃષિ ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહકારને વધુ વિસ્તૃતકરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ખાદ્ય સુરક્ષા, કોલ્ડ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ, ખાતરો, માછીમારી અને જળચર ઉછેરનો સમાવેશ થાય છે.
સ્માર્ટ વોટર રિસોર્સ મેનેજમેન્ટ, વેસ્ટ ટૂ બેસ્ટ-કચરામાંથી શ્રેષ્ઠ સંસાધનોનું સર્જન અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સાથે ભાગીદારના નવા ક્ષેત્રોની પણ ઓળખકરાવવામાં આવી હતી. બંને પક્ષોએ આરોગ્ય ક્ષેત્રે સહકારને આવકાર્યો.
આ ઉપરાંત બંને દેશોના નેતાઓએ પવન અને સૌર, પાણી, શિપિંગ અને બંદરો, માળખાકીયસુવિધાઓ અને પરિપત્ર અર્થતંત્ર સહિત નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં નવીનીકરણીય ટેકનોલોજી અને ટકાઉ ઉકેલોમાં ચાલી રહેલી ભાગીદારીની પ્રશંસા કરી હતી.
હાલ ભારતમાં છે 200 ડેનિશ કંપનીઓ
ભારતમાં હાજર 200 થી વધુ ડેનિશ કંપનીઓ મેક ઇન ઇન્ડિયા, જલ જીવન મિશન, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, નમ્મી ગંગે સ્કીમ જેવા ભારતના મુખ્ય રાષ્ટ્રીયમિશનને આગળ વધારવામાં સક્રિયપણે શામેલ છે. ડેનિશ વડાપ્રધાને વધુ ભારતીય કંપનીઓને ડેન્માર્કમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. બંને વડાપ્રધાનોએ પ્રાદેશિકઅને વૈશ્વિક વિકાસ, કોરોના મહામારી બાદ વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ, ઇન્ડો-પેસિફિક અને અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.
તેઓએ ભારત-ઇયુ એફટીએ વાટાઘાટો ફરી શરૂ કરવાના નિર્ણયને પણ આવકાર્યો છે. આ સાથે આશા વ્યક્ત કરી કે, તેઓ વહેલામાં વહેલી તકે નિર્ણય લેશે. મુલાકાતદરમિયાન બંને સરકારો વચ્ચે પરંપરાગત જ્ઞાન, કૌશલ્ય વિકાસ, ભૂગર્ભજળ સંસાધનોનું મેપિંગ અને શીતક ટેકનોલોજી ક્ષેત્રે ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાંઆવ્યા હતા. આ ઉપરાંત મુલાકાત દરમિયાન 3 વ્યાપારી કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારતીય વડાપ્રધાનને આપ્યું આમંત્રણ
ભારતની મુલાકાત દરમિયાન ડેનિશ વડાપ્રધાન ફ્રેડ્રિકસને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2022માં બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટ માટે કોપનહેગન આવવાનું આમંત્રણઆપ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદે ડેન્માર્કની મહારાણી માર્ગારેટ II ને આવતા વર્ષે ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.