29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજાઇ શકે છે સંસદનું શિયાળું સત્ર, CCPAએ કરી ભલામણ
સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે. સોમવારે, સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) એ 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી શિયાળુ સત્ર યોજવાની ભલામણ કરી હતી. કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, કોવિડ-19 પ્રોટોકોલને પગલે છેલ્લા દોઢ વર્ષમાં જે રીતે સંસદના સત્રો યોજાયા હતા તે રીતે શિયાળુ સત્ર પણ યોજાશે.
કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, કોવિડ-19 પ્રોટોકોલને પગલે છેલ્લા દોઢ વર્ષમાં જે રીતે સંસદના સત્રો યોજાયા હતા તે રીતે શિયાળુ સત્ર પણ યોજાશે.
નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું અને બજેટ સત્ર અને સંસદના ચોમાસુ સત્રનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં CCPAએ સંસદના શિયાળુ સત્ર માટે 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીની તારીખની ભલામણ કરી છે.
સંસદના રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોની કાર્યવાહી એકસાથે ચાલશે, જે દરમિયાન સંસદના તમામ સાંસદોએ કોરોના પ્રોટોકોલને અનુસરીને સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું રહેશે. આ શિયાળુ સત્રને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ સત્ર બાદ જ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.
આ શિયાળુ સત્રમાં પણ વિપક્ષ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને ખાદ્યતેલની કિંમતોમાં વધારો, ખેડૂતોનું આંદોલન, મોંઘવારી, કાશ્મીરમાં આતંકવાદી હુમલા સહિતના અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર પણ હંગામા સાથે જોવા મળ્યું હતું.વિપક્ષે પેંગાસન જાસૂસી મુદ્દે જવાબ માંગ્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ ખેડૂત કાયદાને પાછો ખેંચવાની માંગ કરી હતી, જેના પર ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે.