કોરોના રસીના બે ડોઝ લેનારા લોકોને ત્રીજો ડોઝ આપવાની જોગવાઈ નથી : કેરળ હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે કેરળ હાઈકોર્ટને જણાવ્યું કે, હાલમાં કોરોનાની રસીના બે ડોઝ લેનારા લોકોને ત્રીજો ડોઝ આપવાની કોઈ જોગવાઈ નથી. અદાલતમાં કન્નુરના એક વ્યક્તિની અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ વાત કરી છે.
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કેરળ હાઈકોર્ટને જણાવ્યું કે, હાલમાં કોરોનાની રસીના બે ડોઝ લેનારા લોકોને ત્રીજો ડોઝ આપવાની કોઈ જોગવાઈ નથી. અદાલતમાં કન્નુરના એક વ્યક્તિની અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્રએ આ વાત કરી છે.

કન્નુરના એક માણસે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીતા જણાવ્યું છે કે, તેણે કોવેક્સીનના બંને ડોઝ લીધા છે, પરંતુ હવે તે કોવિશિલ્ડ રસી મેળવવા માંગે છે. કારણ કે, તેને નોકરી માટે સાઉદી અરેબિયા જવું છે, પરંતુ સાઉદી સરકાર કોવેક્સીનને માન્યતા આપતી નથી. આ કારણે તે નોકરી માટે સાઉદી જઈ શકતો નથી.
કેરળ હાઇકોર્ટે આ અંગે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. જેના માટે કેન્દ્રએ કહ્યું કે, જે લોકોએ રસીના બે ડોઝ લીધા છે, તેમને ત્રીજો ડોઝ આપી શકાતી નથી. અરજીમાં આ વ્યક્તિએ કહ્યું હતું કે, તે દુબઇમાં લાંબા સમયથી કામ કરી રહ્યો છે. કોરોના સમયે તે ભારત આવ્યો હતો, હવે તેને પરત દુબઇ જવું પડશે, પરંતુ રસી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય નથી. તેથી તેને મુસાફરીની પરવાનગી નથી મળી રહી, તેનાથી તેની આજીવિકા પર અસર પડી રહી છે. જેના પર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, માર્ગદર્શિકા ત્રીજા ડોઝને મંજૂરી આપતી નથી. કારણ કે રસીના ત્રીજા ડોઝને ડોક્ટર્સ તરફથી માન્યતા મળી નથી.
ઉલ્લેખનીય છે કે, અત્યારે ભારતમાં માત્ર બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. એક ભારત બાયોટેકની કોવેક્સીન અને બીજી ઓક્સફોર્ડની કોરોના વેક્સીન, જે ભારતમાં સીરમ સંસ્થા દ્વારા કોવિશિલ્ડ નામથી બનાવવામાં આવી રહી છે. જેમાં કોવેક્સીન લેનારાઓને વિદેશ પ્રવાસમાં સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વિદેશમાં કામ કરતા લોકો સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
