પિનારાઈ વિજયને બીજી વાર સંભાળી કેરળની સત્તા, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
પિનારાઈ વિજયને સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા.
તિરુવનંતપુરમઃ કેરળમાં ગુરુવારે ઈતિહાસ બદલાઈ ગયો જ્યાં એલડીએફે બીજી વાર પૂર્ણ બહુમતથી ચૂંટણી જીતીને સરકાર બનાવી. સાથે જ પિનારાઈ વિજયને સેન્ટ્રલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. કોરોના મહામારીને જોતા આ શપથ ગ્રહણમાં અમુક જ મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. વિજયન ઉપરાંત 22 મંત્રી પણ શપથ લેશે, જો કે આમાંથી એક પણ જૂનો ચહેરો નહિ હોય.

કોરોના મહામારીના કારણે કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ થઈ રહી હતી પરંતુ હાઈકોર્ટે અરજીકર્તાઓને ઝટકો આપી દીધો. જેના કારણે ગુરુવારે બપોરે 3.30 વાગે કોરોના પ્રોટોકૉલ સાથે શપથ ગ્રહણ સમારંભ શરૂ થયો. ત્યારબાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પિનારાઈ વિજયનને પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવ્યા. એવામાં હવે અધિકૃત રીતે કેરળમાં સરકારની રચનાનુ કામ પૂરુ થઈ ગયુ છે. ખાસ કરીને કેરળમાં કોઈ સત્તાધારી પાર્ટીએ ફરીથી જીત નથી મેળવી પરંતુ આ વખતે એલડીએફે આખા ઈતિહાસ બદલી દીધા.
શું વિજયનનો નવો પ્રયોગ યોગ્ય?
પિનારાઈ વિજયન કોઈ પણ જૂના મંત્રીને આ વખત જવાબદારી નહિ સોંપે. એવામાં તેમની કેબિનેટમાં બધા નવા ચહેરા છે. આ ભારતીય ઈતિહાસમાં પહેલો પ્રયોગ છે. વળી, આરોગ્ય મંત્રી કેકે શૈલજાને પણ હટાવવાનો નિર્ણય લીધો છે જેના પર વિવાદ થઈ રહ્યો છે. શૈલજાએ કોરોના મહામારીના સમયમાં સારુ કર્યુ હતુ જેની પ્રશંસા પીએમ મોદી અને ડબ્લ્યુએચઓ પણ કરી ચૂક્યા છે.
આ છે રાજકીય સમીકરણ
તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં એલડીએફે કેરળમાં પોતાના હરીફોને હરાવીને 99 સીટો જીતી હતી. વળી, બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ(યુડીએફ)ના ખાતામાં 41 સીટો આવી. આ ચૂંટણીમાં ભાજપ મેટ્રોમેન ઈશ્રીધરનના સહારે સત્તા મેળવવાની કોશિશ કરી રહી હતી પરંતુ એનડીએને એક પણ સીટ નસીબ થઈ નહિ.












Click it and Unblock the Notifications
