નાગાલેન્ડમાં આર્મીએ ત્રણ આતંકીઓની માર્યા, 1 જવાન શહીદ
ભારતીય સેનાએ નાગાલેન્ડમાં ત્રણ આતંકીઓને માર્યા ઠારજો કે આ એનકાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ થયો છે શહીદ
નાગાલેન્ડમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં સેનાએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સવારથી જ બન્ને તરફથી ભારે ગોળીબારી થઇ રહી છે. જો કે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હોવાની ખબર આવી છે. સાથે જ એક સ્થાનિક નાગરિકના મોતની પણ ખબર આવ્યા છે. આ અથડામણમાં ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી મુજબ આ અથડામણ હજી પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે અહીં પણ માઓવાદીઓનું વર્ચસ્વ હોવાના કારણે અનેક વાર સેના અને માઓવાદી વચ્ચે ઘર્ષણ થતું રહેતું હોય છે. આ પહેલા પણ અનેક વાર સેનાએ તેના જવાનો આવી હિંસક અથડામણમાં ગુમાવ્યા છે.
Nagaland: Three terrorists killed, one jawan lost his life & three jawans injured in an encounter, operation still underway. pic.twitter.com/nKf12Wd4Sd
— ANI (@ANI_news) June 7, 2017












Click it and Unblock the Notifications
