કાનપુર રેલી પહેલા ભાજપાને થઇ મોદીની ચિંતા, હાઇટેક સુરક્ષાનો બંદોબસ્ત
કાનપુર, 16 ઓક્ટોબર: 19 ઓક્ટોબરના રોજ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કાનપુરથી પોતાની રેલી કરીને ઉત્તર પ્રદેશથી પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કરવાના છે. મુઝફ્ફરનગર રમખાણો બાદ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી રાજકીય ઉથલપાથલના વાતાવરણમાં નરેન્દ્ર મોદીની પહેલી રેલીને લઇને હવે ભાજપા ચિંતામાં આવી ગઇ છે. ભાજપાને ચિંતા મોદીની સુરક્ષાને લઇને છે.
ભાજપાનું અનુસાન છે કે આ રેલીમાં લગભગ 3 લાખ લોકો આવશે. આવામાં આટલી મોટી જનમેદની એકઠી કરવાના અનુમાનોના કારણે યુપી ભાજપાની પ્રમુખ ચિંતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇને વધી ગઇ છે.
મોદીની સુરક્ષાને લઇને ભાજપાની ચિંતાનું પરિણામ છે કે એ બાબતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે રેલીમાં વધારે લોકોને એકઠા ના થવા દેવા. સાથે સાથે જે લોકો રેલીમાં આવે, તેમને હેમખેમ ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના સુરક્ષાકર્મી ગુજરાતથી કાનપુર પહોંચી ગયા છે, અને રેલી સમાપ્ત થવા સુધી તેઓ ત્યાં જ રહેશે. આ ઉપરાંત પાર્ટીએ તંત્રને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું છે.
આની સાથે જ બોમ્બ સ્ક્વોડ, એન્ટિ સબોટોઝ ટીમની સાથે જ ગુપ્ત પોલીસ કર્મીઓને પણ ડીજીપી હેડક્વાર્ટરથી કાનપુર મોકલવામાં આવ્યા છે. જ્યારે રેલીમાં નાસભાગને નિયંત્રીત કરવા માટે ભાજપાએ પૂરતી વ્યવસ્થા કરી છે. મહિલાઓ માટે અલગ ગેલેરી બનાવવામાં આવી છે. પંડાલની અંદર માત્ર 50000 ખુર્શીઓ જ લગાવવામાં આવી છે. રેલી સ્થળેથી 6 કિમી દૂર સુધી એલસીડી સ્ક્રીન અને લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે, જેથી રેલી સ્થળ પર વધારે ભીડ ના થાય.