મમતા પર હુમલો હત્યાના ઉદ્દેશ્યથી કરાયોઃ ટીએમસી

mamatabenarjee
કોલકતા, 10 એપ્રિલઃ દિલ્હીમાં એસએફઆઇ કાર્યકર્તાઓએ જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને નાણામંત્રી અમિત મિત્રાને નિશાન બનાવ્યું તે સમયે તેમની સાથે ચાલી રહેલા એક મંત્રીએ બુધવારે આરોપ લગાવ્યો છે કે હુમલાનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની હત્યા કરવાનો હતો. પંચાયત મંત્રી સુબ્રત મુખર્જીએ કહ્યું કે, આ બનર્જીની હત્યાનું ષડયંત્ર હતું. જો ફિરહાદ હાકિમે એસએફઆઇના એક સમર્થકને લોખંડની રોડથી હુમલો કરતા રોક્યા ના હોત તો તેમને ગંભીર ઇજાઓ થઇ શકી હોત.

મુખર્જીએ કહ્યું કે, દિલ્હી પોલીસ અમારા મુખ્યમંત્રીને સુરક્ષા પૂરા પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇતી હતી. જે રીતે એસએફઆઇ અને સીપીએમ સમર્થકોએ અમારા પર હુમલો કર્યો તે શરમજનક છે.

દિલ્હીમાં તૃણમૂલના સાંસદ સુખેન્દુ શેખ રોયએ પણ આ પ્રકારનો દાવો કર્યો. રોયે પત્રકારોને જણાવ્યું કે, આ મમતા અને ત્રણ કેબિનેટ મંત્રીઓ વિશેષ કરીને અમિત મિત્રા ઉપર કરવામાં આવેલો જાનલેવા હુમલો હતો. પંચાયત ચૂંટણીની પૂર્વ સંધ્યા પર કરવામાં આવેલો આ હુમલો એક પૂર્વ નિયોજિત હુમલો હતો જેતી એવી સ્થિતિ આવી જાય કે રાજ્યમાં કેન્દ્રીય દળ તૈનાત કરવાની માંગને યોગ્ય ઠેરવી શકાય.

જો કે, રોયે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સીપીએમના કાર્યાલયો અને કાર્યકર્તાઓ પર હુમલાને લઇને કરવામાં આવેલા પ્રશ્નને ટાળી દીધો હતો અને કહ્યું હતું કે આ અમારા પર લગાવવામાં આવેલો એક મામુલી આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X