મમતા પર હુમલો હત્યાના ઉદ્દેશ્યથી કરાયોઃ ટીએમસી

મુખર્જીએ કહ્યું કે, દિલ્હી પોલીસ અમારા મુખ્યમંત્રીને સુરક્ષા પૂરા પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇતી હતી. જે રીતે એસએફઆઇ અને સીપીએમ સમર્થકોએ અમારા પર હુમલો કર્યો તે શરમજનક છે.
દિલ્હીમાં તૃણમૂલના સાંસદ સુખેન્દુ શેખ રોયએ પણ આ પ્રકારનો દાવો કર્યો. રોયે પત્રકારોને જણાવ્યું કે, આ મમતા અને ત્રણ કેબિનેટ મંત્રીઓ વિશેષ કરીને અમિત મિત્રા ઉપર કરવામાં આવેલો જાનલેવા હુમલો હતો. પંચાયત ચૂંટણીની પૂર્વ સંધ્યા પર કરવામાં આવેલો આ હુમલો એક પૂર્વ નિયોજિત હુમલો હતો જેતી એવી સ્થિતિ આવી જાય કે રાજ્યમાં કેન્દ્રીય દળ તૈનાત કરવાની માંગને યોગ્ય ઠેરવી શકાય.
જો કે, રોયે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સીપીએમના કાર્યાલયો અને કાર્યકર્તાઓ પર હુમલાને લઇને કરવામાં આવેલા પ્રશ્નને ટાળી દીધો હતો અને કહ્યું હતું કે આ અમારા પર લગાવવામાં આવેલો એક મામુલી આરોપ છે.












Click it and Unblock the Notifications
