એક સાથે આ 19 પાર્ટીઓ નવા સંસદ ભવનના લોકાર્પણનો બહિષ્કાર કરશે, જુઓ લિસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાદાગીરી અને અલૌંકતાંત્રિક ગતીવીતિઓના વિરોધમાં હવે વિપક્ષી પાર્ટીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. નવા સંસદ ભવનના લોકાર્પણ માટે પીએમ મોદીએ રાષ્ટ્રપતિની જગ્યા ખુદ લેતા હવે વિરોધ વધી રહ્યો છે.
નવા સંસદ ભવનનું લોકાર્પણ પીએમ મોદી નહીં પરંતુ રાષ્ટ્રપતિએ કરવુ જોઈએ તેવી માંગ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે એક સાથે 19 પાર્ટીઓએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

પીએમ મોદી નવા સંસંદ ભવનનું લોકાર્પણ કરે તે પહેલા વિપક્ષે મોટી રણનીતિ બનાવી છે. એક સંયુક્ત નિવેદનમાં 19 પક્ષોએ કહ્યું છે કે જ્યારે લોકશાહીની આત્મા સંસદમાંથી ચૂસી લેવામાં આવી છે ત્યારે અમને નવી ઇમારતની કોઈ કિંમત દેખાતી નથી. અમે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના અમારા સામૂહિક નિર્ણયની જાહેરાત કરીએ છીએ.
તમામ વિપક્ષી પાર્ટીઓએ એક સુરમાં કહ્યું છે કે, શાસક ભારતીય જનતા પાર્ટી સાથે મતભેદો છતાં તે અમારા મતભેદોને બાજુ પર રાખીને પ્રસંગને ચિહ્નિત કરવા તૈયાર છે. પરંતુ, રાષ્ટ્રપતિ મુર્મુને સંપૂર્ણપણે બાયપાસ કરીને ખુદ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય માત્ર સ્પષ્ટ અપમાન જ નહીં, પરંતુ આપણી લોકશાહી પર સીધો હુમલો છે, જે યોગ્ય જવાબની માંગ કરે છે.
બંધારણના અનુચ્છેદ 79 નો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષોએ જણાવ્યુ છે કે, મુર્મુ માત્ર રાજ્યના વડા જ નહીં પરંતુ સંસદનો અભિન્ન અંગ પણ છે. તે સંસદને સમન્સ, મુદત અને સંબોધન કરે છે. ટૂંકમાં, રાષ્ટ્રપતિ વિના સંસદ ચાલી શકતી નથી. તેમ છતાં વડાપ્રધાને તેમના વિના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લીધો છે.
19 opposition parties issue a joint statement to boycott the inauguration of the new Parliament building on 28th May, saying "When the soul of democracy has been sucked out from the Parliament, we find no value in a new building." pic.twitter.com/7p7lk9CNqq
— ANI (@ANI) May 24, 2023
અહીં વિપક્ષોએ ખેડૂતો, વિપક્ષી રાજકીય નેતાઓ અને નાગરિક સમાજના કાર્યકરો દ્વારા મોટા આંદોલન પહેલાં દેશભરમાં ઉગ્ર વિરોધ અને હિંસા ફેલાવનારા ત્રણ ફાર્મ કાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો. આ કાયદા મોદી સરકારને પાછા ખેંચવા અને રદ કરવાની ફરજ પડી હતી. જો કે બીજુ જનતા દળે હજુ સુધી નિવેદન પર હસ્તાક્ષર કર્યા નથી કે બહિષ્કારની જાહેરાત કરી નથી.
કોંગ્રેસ
આમ આદમી પાર્ટી
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના
રાષ્ટ્રીય જનતા દળ
સમાજવાદી પાર્ટી
ઝારખંડ મુક્તિ મોરચા,
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ
કેરળ કોંગ્રેસ (મણિ)
વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી
રાષ્ટ્રીય લોક દળ
નેશનલ કોન્ફરન્સ
મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગ
ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી
દ્રવિડ મુનેત્ર કઝગમ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
