કોવિડ-19: દેશમાં 24 કલાકમાં સામે આવ્યા 1,396 નવા કેસ, કુલ સંખ્યા 27 હજારને પાર
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, દિલ્લી, ગુજરાત અને મધ્ય પ્રદેશથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 8068 છે, આમાં ડિસ્ચાર્જ થઈ ચૂકેલા 1076 કેસ શામેલ છે. વળી, કુલ 342 લોકોના મોત થયા છે. એકલા મુંબઈમાં જ 324 નવા કેસ નોંધાવામાં આવ્યા છે. 13 મોત પણ થયા છે, કુલ કેસ 5194 થઈ ગયા છે અને મરનારની સંખ્યા 204 થઈ ગઈ છે. રિકવરી બાદ આજે 135 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. કુલ 897 દર્દીઓને અત્યાર સુધી રજા આપી દેવામાં આવી છે.
વળી, રાજધાની દિલ્લીમાં કોવિડ-19ના 293 નવા કેસ સામે આવ્યા છે જેનાખી કુલ કેસોની સંખ્યા2918 અને મરનારની સંખ્યા 54 થઈ ગઈ છે. દિલ્લીમાં કન્ટેનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 97 થઈ ગઈ છે. ગુજરાતમાં 230 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે અને 18 મોત થયા છે. રાજ્યમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 3301 અને મોતોની કુલ સંખ્યા 155 થઈ ગઈ છે જેમાં 313 રિકવર/ડિસ્ચાર્જ શામેલ છે.
આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં કોવિડ-19ના 2096 કેસ સામે આવ્યા છે જેમાંથી 103 લોકોના જીવ ગયા છે અને 302 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. રાજસ્થાનમાં 36 નવા કેસ સામે આવ્યા છે. અહીં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2221 થઈ ગઈ છે. બિહારમાં કુલ કેસ 274 થઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં કુલ પૉઝિટીવ કેસ 523 થઈ ગયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ 1868 દર્દી અને કર્ણાટકમાં 503 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 30 લોકો વિશે માલુમ પડ્યુ છે. જ્યરે 20 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુરમાં 2, મેઘાલયમાં 12 કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે અસમમાં 36 કેસોની પુષ્ટિ થઈ છે.
આ પણ વાંચોઃ રાજ્યોના સીએમ સાથે આજે પીએમ મોદીની બેઠક, લૉકડાઉન પર થશે ચર્ચા