ટીવી ઉદ્યોગને વધુ એક ફટકો, સ્યુસાઇડ નોટ લખીને આ અભિનેત્રીએ કરી આત્મહત્યા
કન્નડ ટીવી સિરિયલની અભિનેત્રી સોજન્યાએ બેંગ્લોર નજીક એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી છે. અભિનેત્રી ગુરૂવાર સવારના રોજ પંખા સાથે લટકતી મળી આવી હતી. અભિનેત્રી કોડગુ જિલ્લાના કુશાલનગરની રહેવાસી હતી.
નવી દિલ્હી : કન્નડ ટીવી સિરિયલની અભિનેત્રી સોજન્યાએ બેંગ્લોર નજીક એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી છે. અભિનેત્રી ગુરૂવાર સવારના રોજ પંખા સાથે લટકતી મળી આવી હતી.

અભિનેત્રી કોડગુ જિલ્લાના કુશાલનગરની રહેવાસી હતી. તેમણે ઘણી સિરિયલો અને કેટલીક કન્નડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પોલીસે તેના પગ પર બનાવેલા ટેટૂ દ્વારા તેની ઓળખ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે. તેના રૂમમાંથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી.

ચાર પાનાની સ્યૂસાઇડ નોટ મળી
પોલીસને તેના ઘરમાંથી અંગ્રેજી અને કન્નડમાં લખેલી ચાર પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં જાણવા મળ્યું છે કે, અભિનેત્રીએ આ પગલા માટે કોઈને દોષ આપ્યો નથી. ચિઠ્ઠીમાં જણાવાયું હતું કે, તેની કથળતી તબિયત અને ઉદ્યોગના વર્તમાન વાતાવરણને કારણે તે છેલ્લા ઘણા દિવસોથી પરેશાન હતી. પરિસ્થિતિને જોતા તેમની પાસે આ ખતરનાક પગલું ભરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સ્યૂસાઇડ નોટ પર ત્રણ તારીખ
સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, આ પગલા માટે તે પોતાને જવાબદાર માને છે. સોજાન્યાએ આ પગલું ભરવા બદલ તેના માતા-પિતાની માફી માંગી છે. આ સાથે તેણીએ કહ્યું કે, તે ડિપ્રેશનને કારણે આ પગલું ભરી રહી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, તે ડિપ્રેશનનો શિકાર કેમ બની? મૃત્યુની નોંધ પર ત્રણ તારીખ લખી છે - 27, 28 અને 30 સપ્ટેમ્બર. પોલીસનું માનવું છે કે, સૌમ્યાએ ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.












Click it and Unblock the Notifications
