TVF CEO વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ
ઓફિશિયલ ફરિયાદના અભાવે મુંબઇ પોલીસ આ કેસ બંધ કરવાની તૈયારીમાં હતી, એવામાં પીડિતાએ પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવતા આખરે આ કેસ પર તપાસ શરૂ થઇ છે.
મુંબઇ ના અંધેરી ઇસ્ટ પોલીસ મથક ખાતે ઓનલાઇન મનોરંજન ચેનલ ધ વાયરલ ફીવર(ટીવીએફ)ના સીઇઓ અરુણાભ કુમાર વિરુદ્ધ જાતીય સતામણી નો કેસ નોંધવામાં આવ્યો છે. ટીવીએફની પૂર્વ મહિલા કર્મચારીએ આ ફરિયાદ નોંધાવી છે. અરુણાભ કુમાર વિરુદ્ધ કલમ 354 A(જાતીય સતામણી) અને 509(મહિલાના આત્મસન્માનનું હનન કરતાં શબ્દો, હાવભાવ કે કૃત્યોનો ઉપયોગ કરવો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પીડિતાએ ટીવીએફમાં 2 વર્ષ નોકરી કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, આ બે વર્ષ દરમિયાન અરુણાભ દ્વારા તેને સતત હેરાન કરવામાં આવી હતી તથા તેનું યૌન શોષણ પણ થયું હતું. પીડિતાએ પોતાની આપવીતી એક બ્લોગમાં વર્ણવી હતી. આ પોસ્ટ વાયરલ થતાં અરુણાભે પીડિતા પર ખોટું બોલતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ થોડા જ દિવસની અંદર બીજી લગભગ 50 જેટલી મહિલાઓએ અરુણાભ પર આ જ આરોપો લગાવ્યા હતા.
જો કે, આ તમામ આરોપો સોશિયલ મીડિયા થકી જ લગાવવામાં આવ્યા હતા, આમાંથી કોઇ પીડિતાએ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નહોતી નોંધાવી. આ કારણે મુંબઇ પોલીસ કેસ બંધ કરવાનું વિચારી રહી હતી. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે, જો કોઇ પીડિતા આ મામલે ફરિયાદ નોંધાવવા આવશે, તો તુરંત એફઆઇઆર દાખલ કરવામાં આવશે.
પીડિતાનો બ્લોગ
માર્ચ મહિનામાં પીડિતાનો એક બ્લોગ વાયરલ થયો હતો. જે અનુસાર તે બિહારના મુઝફ્ફરનગરની વતની છે. અરુણાભ કુમાર પણ આ જ શહેરના રહેવાસી છે અને તેમણે વર્ષ 2014માં ટીવીએફની સ્થાપના કરી હતી. પીડિતાએ પણ એ જ વર્ષમાં કંપની જોઇન કરી હતી તથા તેણે પોતાની પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે, કંપની જોઇન કર્યા બાદ પહેલા મહિનાથી જ તેનું શોષણ શરૂ થયું હતું, જે વર્ષ 2016 સુધી ચાલ્યું.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
