મણિપુરમાં મુખ્યમંત્રીના રહેઠાણ પાસે વિસ્ફોટ, 2ના મોત
મણિપુર, 30 ઓક્ટોબર: મણિપુરના પશ્ચિમી ઇંફાલ જિલ્લામાં યાસકૂલ વિસ્તારમાં બુધવારે સવારે વહેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં બે વ્યક્તિયોના મોત થયા છે જ્યારે સાત ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું કે બોમ્બને સુરક્ષા દળને નિશાનો બનાવવા માટે યાસકુલ બસ સ્ટેશન પર રસ્તાના કિનારે રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટ લગભગ સવારે 6 વાગ્યાને 20 મિનિટના રોજ થયો જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય 8 ઘાયલ થઇ ગયા હતા.
તેમાંથી એકનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું, તથા બાકીના સાત ઘાયલોની હાલત હજી નાજુક છે જેને રીઝનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે બોમ્બ સંભવિત રીતે ગઇકાલે રાત્રે ટાઇમરની સાથે લગાવવામાં આવ્યો હશે. ગઇકાલથી આ પ્રકારની આ બીજી ઘટના છે. ગઇકાલે ઇંફાલમાં એક બજારમાં થયેલા વિસ્ફોટોમાં પાંચ લોકો ઘાયલ થઇ ગયા હતા. આ વિસ્ફોટ પણ સિંહના રહેઠાણ અને રાજભવનની નજીક એક કિમી.ના અંતરે આવેલું છે.