બીજેપી મેનિફેસ્ટોમાંથી બે શબ્દો ગાયબ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર
કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના સતત સવાલો બાદ આખરે બીજેપીએ તેનો મેનિફેસ્ટો ચૂંટણીના ફ્કત ચાર દિવસ પહેલા જારી રહ્યો છે. હવે આ મેનિફેસ્ટો પર વિપક્ષ આક્રમક છે.
બીજેપીએ આ મેનિફેસ્ટોમાં ઘણા વચનો આપ્યા છે. બીજેપીનાૈ ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીનો મેનિફેસ્ટો અને નરેન્દ્ર મોદીના ભાષણમાંથી બે શબ્દો ગાયબ છે - મોંઘવારી અને બેરોજગારી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી લોકોના જીવન સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવા નથી માંગતી. તેમણે કહ્યું કે ઈન્ડિયાની યોજના એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે 30 લાખ પદો પર ભરતી થશે. દરેક શિક્ષિત યુવાનોને 1 લાખ રૂપિયાની કાયમી નોકરી મળશે.
તેમણે કહ્યું કે, દેશના યુવાનો આ વખતે મોદીના શિકાર થવાના નથી. હવે તેઓ કોંગ્રેસનો હાથ મજબૂત કરશે અને દેશમાં રોજગાર ક્રાંતિ લાવશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બીજેપીનો સંકલ્પ પત્ર માત્ર દેખાડો છે. તેમનો વાસ્તવિક ઢંઢેરો સંવિધાન પત્ર બદલો છે. દરેક ગલી, રાજ્ય પછી રાજ્યમાં ભાજપના નેતાઓ અને ભાજપના ઉમેદવારો બંધારણ બદલોના પત્રો લઈને ફરે છે અને તેમના ભાષણોમાં બાબાસાહેબના બંધારણને બદલવાની વાતો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, યાદ રાખો, આ તમામ રાષ્ટ્રવિરોધી, અસામાજિક, લોકશાહી વિરોધી કાવતરા ભાજપે નીચેથી શરૂ કર્યા છે. શરૂઆતમાં ટોચના નેતાઓ જનતા સામે બંધારણ પર શપથ લેશે, પરંતુ રાત્રે તેઓ બંધારણને નાબૂદ કરવાની સ્ક્રિપ્ટ લખે છે. બાદમાં સંપૂર્ણ સત્તા મેળવ્યા બાદ તેઓ બંધારણ પર હુમલો કરશે.
બાબા સાહેબનું બંધારણ એ ભારતનો આત્મા છે. આપણું બંધારણ દેશના કરોડો લોકોને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. બંધારણ સામાન્ય લોકોને લોકશાહીના કેન્દ્રમાં રાખે છે. આજે આપણે બધાએ એકજૂથ થઈને ભાજપના બંધારણ બદલો મિશનને નકારી કાઢવું પડશે અને તેમને સ્પષ્ટપણે કહેવું પડશે. દેશ સંવિધાન પર ચાલશે અને આપણે સાથે મળીને બંધારણ બદલવાનો ઇરાદો ધરાવનારાઓને હરાવીશું.












Click it and Unblock the Notifications
