બીજેપી મેનિફેસ્ટોમાંથી બે શબ્દો ગાયબ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર
કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના સતત સવાલો બાદ આખરે બીજેપીએ તેનો મેનિફેસ્ટો ચૂંટણીના ફ્કત ચાર દિવસ પહેલા જારી રહ્યો છે. હવે આ મેનિફેસ્ટો પર વિપક્ષ આક્રમક છે.
બીજેપીએ આ મેનિફેસ્ટોમાં ઘણા વચનો આપ્યા છે. બીજેપીનાૈ ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીનો મેનિફેસ્ટો અને નરેન્દ્ર મોદીના ભાષણમાંથી બે શબ્દો ગાયબ છે - મોંઘવારી અને બેરોજગારી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી લોકોના જીવન સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવા નથી માંગતી. તેમણે કહ્યું કે ઈન્ડિયાની યોજના એકદમ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે 30 લાખ પદો પર ભરતી થશે. દરેક શિક્ષિત યુવાનોને 1 લાખ રૂપિયાની કાયમી નોકરી મળશે.
તેમણે કહ્યું કે, દેશના યુવાનો આ વખતે મોદીના શિકાર થવાના નથી. હવે તેઓ કોંગ્રેસનો હાથ મજબૂત કરશે અને દેશમાં રોજગાર ક્રાંતિ લાવશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બીજેપીનો સંકલ્પ પત્ર માત્ર દેખાડો છે. તેમનો વાસ્તવિક ઢંઢેરો સંવિધાન પત્ર બદલો છે. દરેક ગલી, રાજ્ય પછી રાજ્યમાં ભાજપના નેતાઓ અને ભાજપના ઉમેદવારો બંધારણ બદલોના પત્રો લઈને ફરે છે અને તેમના ભાષણોમાં બાબાસાહેબના બંધારણને બદલવાની વાતો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, યાદ રાખો, આ તમામ રાષ્ટ્રવિરોધી, અસામાજિક, લોકશાહી વિરોધી કાવતરા ભાજપે નીચેથી શરૂ કર્યા છે. શરૂઆતમાં ટોચના નેતાઓ જનતા સામે બંધારણ પર શપથ લેશે, પરંતુ રાત્રે તેઓ બંધારણને નાબૂદ કરવાની સ્ક્રિપ્ટ લખે છે. બાદમાં સંપૂર્ણ સત્તા મેળવ્યા બાદ તેઓ બંધારણ પર હુમલો કરશે.
બાબા સાહેબનું બંધારણ એ ભારતનો આત્મા છે. આપણું બંધારણ દેશના કરોડો લોકોને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. બંધારણ સામાન્ય લોકોને લોકશાહીના કેન્દ્રમાં રાખે છે. આજે આપણે બધાએ એકજૂથ થઈને ભાજપના બંધારણ બદલો મિશનને નકારી કાઢવું પડશે અને તેમને સ્પષ્ટપણે કહેવું પડશે. દેશ સંવિધાન પર ચાલશે અને આપણે સાથે મળીને બંધારણ બદલવાનો ઇરાદો ધરાવનારાઓને હરાવીશું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
