Udhampur Terrorist Attack : જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પોલીસ ચોકી પર આતંકી હુમલો
Udhampur Terrorist Attack : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના પોકળ દાવાનો ભોગ દેશના જવાનો બની રહ્યાં છે. હવે કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બસંતગઢમાં આતંકવાદીઓએ સોંગ પોલીસ ચોકી પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે. બે દિવસ પહેલા સોમવારે આ વિસ્તારમાં ઓચિંતો હુમલો થયો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા.

આજના હુમલા બાદ સતર્ક પોલીસ અધિકારીઓએ તરત જ જવાબ આપ્યો અને આતંકવાદીઓને ભાગી જવાની ફરજ પડી હતી.
સૂત્રો અનુસાર, આ હુમલામાં ત્રણ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામેલ હતા. બસંતગઢ કઠુઆ જિલ્લાની સરહદ પર આવેલું છે, જ્યાં સોમવારે સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા, જેના પગલે સૈન્ય અને પોલીસે ગાઢ જંગલોમાં ભારે વરસાદ વચ્ચે આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, કઠુઆ, ઉધમપુર અને ભદરવાહથી શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની હુમલાના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા અને મારવા માટે એક મોટા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઉધમપુર, સાંબા, રાજૌરી અને પૂંચ જિલ્લાના ગાઢ જંગલોમાં વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને આજે સવારે કેટલાક વિસ્તારોમાં તાજી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
