શું તમે જાણો છો નરેન્દ્ર મોદીના પૂર્વજન્મની કથા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ જન્મમાં મુસલમાન હતા. આશ્વર્ય પામશો નહી, અમેરિકાની એક સંસ્થાએ ગહન શોધ બાદ આ દાવો કર્યો છે. આ સંસ્થા ઘણી મહાન વ્યક્તિઓ પર શોધ કરી ચૂકી છે. સંસ્થાનું માનીએ તો દરેક મહાન વ્યક્તિ પોતાના પૂર્વજન્મમાં પણ મહાન હતો.
ટોની એબૉટના રૂપમાં મોદીને મળ્યો એક નવો મિત્ર!
ઇંસ્ટિટ્યૂટ ફૉર ધ ઇંટિગ્રેશન ઑફ સાયન્સ ઇંસ્ટિટ્યૂશન એન્ડ સ્પીરિટ (IISIS) નામની આ સંસ્થા પૂર્વજન્મ અને પૂર્વાભાસ જેવા વિષયો પર કામ કરે છે. પરામનોવિશ્લેષકોની મદદથી આ સંસ્થા ઘણી સ્ત્રી-પુરૂષો, બાળકો અને પશુ-પક્ષીઓના પૂર્વજન્મનું અધ્યયન કરી ચૂકી છે.
ચોંકાવનારો ખુલાસો
એક ભારતીયે જ્યારે સંસ્થા પાસેથી નરેન્દ્ર મોદીના પૂર્વજન્મ વિશે જાણવા માંગ્યું તો તેમણે જે કહ્યું તે ચોંકાવનાર હતું.
પૂર્વજન્મમાં મુસલમાન હતા મોદી
સંસ્થાએ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી પૂર્વજન્મમાં એક જાણીતા મુસ્લિમ નેતા હતા.
મુસલમાનોના વિકાસ માટે કામ કર્યા
તે મુસ્લિમ નેતાએ મુસલમાનોના વિકાસ માટે કામ કર્યા હતા.
પાકિસ્તાનના નિર્માણમાં ભૂમિકા
પાકિસ્તાનના નિર્માણમાં પણ તેમની ભૂમિકા હતી.
મોદીના રૂપમાં નવો જન્મ
IISISની વેબસાઇટ પર છપાયેલા વોલ્ટર સેમિકીવના લેખ અનુસાર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના સંસ્થાપક સર સૈયદ અહમદ ખાને જ નરેન્દ્ર મોદીના રૂપમાં જન્મ લીધો છે.
કોને પૂછ્યું મોદીના પૂર્વજન્મ વિશે
લેખમાં સેમિકીવે દાવો કર્યો છે કે એક અન્ય શોધકર્તા કેવિન રિયર્સનની સાથે એક સંયુક્ત સંત્રમાં એક ભારતીયે તેમને નરેન્દ્ર મોદીના પૂર્વ જન્મ વિશે પુછ્યું હતું.
કોણે કર્યું પૂર્વજન્મ પર અધ્યન
સેમિકિવ અને રિયર્સને એક અન્ય શોધકર્તા અહાતુન રેની મદદથી નરેન્દ્ર મોદીના પૂર્વજન્મ પર અધ્યન કર્યું.
પૂર્વજન્મમાં લોકપ્રિય મુસ્લિમ નેતા
અહાતુન રેએ આરંભિક શોધ બાદ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પૂર્વજન્મમાં લોકપ્રિય મુસ્લિમ નેતા હતા.
અલગ દેશની વકાલત
જેમણે મુસ્લિમો માટે અલગ દેશની વકાલત કરી હતી.
અલગ દેશ પાકિસ્તાન
અલગ દેશની તે કલ્પના પાકિસ્તાનના રૂપમાં સાકાર થઇ.
ર્વજન્મમાં સર સૈયદ અમહદ ખાન હતા મોદી
વધુ શોધ બાદ અહાતુને બાદમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદી પૂર્વજન્મમાં સર સૈયદ અમહદ ખાન હતા.
ચહેરામાં સમાનતા
તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અને સર સૈયદના ચહેરાઓમાં ઘણી સમાનતાઓ છે.
મુસ્લિમોના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા
પોતાની શોધમાં તેમણે એ પણ દાવો કર્યો કે સર સૈયદ અહમદ ખાને જેવા મુસ્લિમોના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
એક સૂત્રમાં જોડવાનો પ્રયત્ન
તેમણે એક સૂત્રમાં જોડવાનો પ્રયત્ન કર્યો અને એક પ્રભાવશાળી નેતા બનીને ઉભર્યા, નરેન્દ્ર મોદી પણ તે પ્રકારે પ્રભાવશાળી નેતા બનીને ઉભર્યા.
સર સૈયદ મુસ્લિમ હતા, પરંતુ નરેન્દ્ર મોદી હિન્દુ?
સર સૈયદ મુસ્લિમ હતા, પરંતુ નરેન્દ્ર મોદી હિન્દુ? આ પ્રશ્નના જવાબમાં શોધકર્તાઓએ કહ્યું કે આત્માઓ ધર્મ, જાતિ અને રાષ્ટ્ર બદલતી રહે છે.