BSP સાંસદે બંધૂકના નાળચે મહીલા પર કર્યો બળાત્કાર, કેસ દાખલ
નવી દિલ્હી, 14 નવેમ્બર: બીએસપી સાંસદ ધનંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઇ છે. સાંસદના ફ્લૈટમાં નોકરાણીની હત્યા બાદ તેમની પર હવે નવો અને સંગીન આરોપ લાગ્યો છે. નોકરાણીના મર્ડર કેસમાં ફસાયેલા બીએસપીના વિવાદીત સાંસદ ધનંજય સિંહ પર દિલ્હીની એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
મહિલાએ આરોપ લગાવતા પોલીસમાં નિવેદન આપ્યું છે કે ધનંજય સિંહે બંધૂક બતાવીને તેની પર બળાત્કાર કર્યો. મહિલાની ફરિયાદ બાદ સાંસદ ધનંજય સિંહની વિરુદ્ધ બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
એટલું જ નહીં જ્યારે તેણે હિમ્મત કરીને પોલીસમાં આ સાંસદની વિરુધ્ધ ફરિયાદ કરવા ગઇ તો તેને રસ્તામાં કારથી ટક્કર મારી દીધી. ત્યારપછીથી તે ઘણી ગભરાયેલી છે. જ્યારે તે ઘરેલુ નોકરાણીની હત્યા મામલામાં સાંસદ ધનંજય સિંહની જેલમાં હોવાની ખબર સાંભળી તો તેણે હિમ્મત કરીને પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી દીધી. પોલીસમાં મહિલાની ફરિયાદ બાદ બીએસપી સાંસદ ધનંજય સિંહ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.