બજેટ 2018 નાના-મોટા લોકોનું રોકાણ છીનવે છે: કોંગ્રેસ
મોદી સરકારના બજેટ 2018 અંગે કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયામલ્લિકાર્જુન ખડગે અને મનિષ તિવારીએ આપી પ્રતિક્રિયાઆ અંગે વધુ વાંચો અહીં...
મોદી સરકાનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ થઇ ગયું છે, એ પછી તમામ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કરતાં કહ્યું કે, અમે રબીના પાક પર એમએસપી દોઢ ગણી વધારી છે. તો બીજી બાજુ ખેડૂતોના પ્રતિનિધિઓનો આરોપ છે કે, અમારી લાગત રકમ ઘટાડવામાં આવી છે, આથી એમએસપી દોઢ ગણું વધારવાની વાત ખોખલી છે. મોદી સરકારના આ બજેટ પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, સરકારે ખેડૂતો માટે માત્ર વાતો કરી છે, કોઇ કામ નથી કર્યું. પછાત વર્ગ માટે પણ સરકારે કંઇ નથી કર્યું.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું...
કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ બજેટમાં નાના-મોટા લોકો પાસે જે પણ રોકાણ છે એ સરકાર છીનવી રહી છે. આનાથી બજારમાં જે બૂસ્ટ હતું એ ઘટી જશે. ત્રણ વર્ષથી જે બોલી રહ્યા હતા એ જ ફરી બોલ્યા. કહ્યું હતું કે એમએસપી વધારશે, ના વધ્યું, કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે, ના થઇ. પ્રાથમિક શાળા અને સર્વ શિક્ષા અભિયાન માટે બજેટની ફાળવણી અપેક્ષા અનુસાર નથી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
