લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા
લોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે આ વાતની ભારે સંભાવના છે કે આગામી લોકસભા ચૂંટણી બાદ દેશને સંભવતઃ એક મજબૂત અને સ્થિર સરકાર નહિ મળી શકે. તેમણે કહ્યું કે દેશમાં બદલાવ આવ્યો છે અને હવે પ્રાથમિકતા એ છે કે જે બદલાવ આવ્યો છે તેના વિશે લોકોને જણાવવાનું છે. જયંત સિન્હાએ મુંબઈમાં CNBC-TV18ને ભારત બિઝનેસ લીડરશિપ અવોર્ડ્સ દરમિયાન આ વાત કહી છે.

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે જો આપણે એવી સ્થિતિમાં પહોંચી જઈએ કે જ્યાં આપણે મજબૂત અને સ્થિર સરકાર નથી મળતી, આ અંગેની મને ભારે સંભાવના લાગી રહી છે, તો મારું માનવું છે કે આગળ ચાલીને આ ભારત માટે સારી સ્થિતિ નહિં હોય. તેમણે કહ્યું કે, "આપણા માટે એ લક્ષ્ય હોવો જોઈએ કે આપણે લોકોને બદલાવ વિશે જાણકારી આપીએ. એ સુનિશ્ચિત કરીએ કે લોકો એ સમજી શકે કે અમે શું કર્યું અને બાદમાં કે જોખમ થઈ શકે છે."
જયંત સિન્હાનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ભાજપને પાછલા મહિને સંપન્ન થયેલ વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રણ મોટા રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો. ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર હતી, જેમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ 15 વર્ષ સત્તામાં રહ્યું હતું. જો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો અને કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં સત્તા પર આવી.
આ પણ વાંચો- માર્ચના પહેલા અઠવાડિયામાં થઈ શકે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી







Click it and Unblock the Notifications
