માર્ચના પહેલા અઠવાડિયામાં થઈ શકે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત
માર્ચના પહેલા અઠવાડિયામાં થઈ શકે લોકસભાની ચૂંટણી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી 2019ના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ આગામી લોકસભા ચૂંટણી 6-7 તબક્કામાં થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તૈયારીઓમાં લાગી ગયું છે. આયોગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓની દિલ્હીમાં બે દિવસ સુધી બેઠક પણ કરી.

તૈયારીઓમાં લાગી ગયું ચૂંટણી પંચ
બેઠકમાં વીવીપેટ અને ઈવીએમને ચૂંટણી દરમિયાન ચુસ્ત રાખવા પર જોર આપવામાં આવ્યું છે, જણાવી દઈએ કે ચૂંટણી પંચની સામે મોટી સમસ્યા મશીનોને લઈને છે કેમ કે, રાજનૈતિક પાર્ટીઓ હંમેશા તેમની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતી રહી છે. માટે ચૂંટણી પંચની પૂરી કોશિશ છે કે આ વખતે તેમણે કોઈપણ આરોપ-પ્રત્યારોપનો સામનો ન કરવો પડે. માટે ચૂંટણી પંચ અત્યારથી ઈવીએમ અને અન્ય તૈયારીઓમાં પૂરી રીતે લાગી ગયું છે જેથી સમય રહેતાં ફરિયાદો દૂર કરી શકાય.

હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂને થઈ રહ્યો છે સમાપ્ત
જણાવી દઈએ કે હાલની તાજેતરની લોકસભાનો કાર્યકાળ 3 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. જો કે હજુ સુધી એ સંકેત નથી મળ્યા કે ચૂંટણી કેટલા તબક્કામાં થશે. પરંતુ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ચૂંટણીના તબક્કા સુરક્ષા બળોની ઉપલબ્ધતા અને જરૂરિયાતો પર નિર્ભર કરશે. કેમ કે ચૂંટણીમાં મોટી સંખ્યામાં સુરક્ષા બળની જરૂર પડે છે માટે ચૂંટણી પંચ આ બધું ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ ઘોષિત કરશે. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવી રહી છે. કેમ કે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી થનાર છે.

2014માં 9 તબક્કામાં થઈ હતી ચૂંટણી
જણાવી દઈએ કે વર્ષ 2014માં ચૂંટણી પંચે 5 માર્ચે લોકસભા ચૂંટણીની ઘોષણા કરી હતી. પાછલી વખતેની લોકસભા ચૂંટણી 9 તબક્કામાં એપ્રિલ અને મે મહિનામાં થઈ હતી. પહેલા તબક્કાનું વોટિંગ 7 એપ્રિલ અને અંતિમ તબક્કાનું વોટિંગ 12 મેના રોજ થયું હતું. પરંતુ આ વખતેની ચૂંટણી કેટલા તબક્કાની હશે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
