ઉન્નાવ રેપ કેસ: ધરના પર બેઠો પીડિત પરિવાર, કાકાને પેરોલ આપવાની માંગ
ઉન્નાવ રેપ પીડિતાના એક્સીડંટ મામલે હવે એક નવો વળાંક આવી ગયો છે. મંગળવારે પીડિતાનો પરિવાર લખનવના કેજીએમયુ ટ્રામ સેન્ટર બહાર ધરના પર બેસી ગયો છે.
ઉન્નાવ રેપ પીડિતાના એક્સીડંટ મામલે હવે એક નવો વળાંક આવી ગયો છે. મંગળવારે પીડિતાનો પરિવાર લખનવના કેજીએમયુ ટ્રામ સેન્ટર બહાર ધરના પર બેસી ગયો છે. પરિજનોનું કહેવું છે કે જ્યાં સુધી પીડિતના કાકાને પેરોલ નહીં મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. પરિજનોએ સરકાર પાસે પીડિતાના કાકાને પેરોલ આપવાની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે 28 જુલાઈ દરમિયાન થયેલી દુર્ઘટનામાં પીડિતાની કાકી અને માસીની મૌત થઇ હતી, જયારે વકીલ અને પીડિતા ગંભીર રૂપે ઘાયલ થયા છે.
ધરના પર બેઠા પરિજનો
ટ્રામા સેન્ટર બહાર ધરના પર બેઠેલી પીડિતાની બહેનનો આરોપ છે કે જેલમાં બંધ ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર આ કેસને ખતમ કરવા માટે આખા પરિવારની હત્યા કરવા માંગે છે. તેને કહ્યું કે પરિવારને સતત ધમકીઓ મળી રહી હતી. પીડિતાની બહેન અનુસાર વિધાયકના લોકો કેસ પાછો લેવા માટે તેમના પર દબાણ કરી રહ્યા હતા. પીડિતાની બહેને કહ્યું કે જો તેમના કાકાને પેરોલ નહીં મળે અને તેમના પર લાગેલા કેસ પાછા લેવામાં નહીં આવે તો તેઓ દુર્ઘટનામાં મૃત કાકીનો અંતિમ સંસ્કાર નહીં કરે.
આખરે 28 જુલાઈ 2019 દરમિયાન શુ થયું
યુપીના બહુચર્ચિત ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના વાહનને રવિવારે બપોરે રાયબરેલી જિલ્લામાં એક ટ્રકે ટક્કર મારી દીધી. આ દૂર્ઘટનામાં પીડિતાના કાકી અને માનું મોત નીપજ્યુ છે. વળી, પીડ઼િતા અને તેમના વકીલ આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પીડિતાના પરિવારજનોએ દૂર્ઘટનાને ષડયંત્ર ગણાવ્યુ છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે પણ મામલાને ષડયંત્ર ગણાવ્યુ છે. બંને પાર્ટીઓએ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.
કારને ટક્કર મારનાર ટ્રક સપા નેતાના ભાઈનો છે
જે ટ્રક પીડિતની કાર સાથે ટકરાઈ હતી તે ફતેહપુરના સપા નેતા અને જિલ્લા સચિવ નંદુ પાલના ભાઈ દેવેન્દ્ર પાલની છે. દેવેન્દ્ર પાલ મુટ્ટોર ગામના લતાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. આ કેસમાં સપા નેતાનું કહેવું છે કે તેને કોઈ ષડયંત્રને કારણે કાવતરું આપવામાં આવી રહ્યું છે, જ્યારે તે માત્ર એક અકસ્માત છે. તેઓ કહે છે કે તેઓ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને જાણતા નથી, ફક્ત તેમનું નામ સાંભળ્યું છે. ટ્રકની નંબર પ્લેટ પર કાળા કલરની ગ્રીસ અંગે તેને કહ્યું કે આ ફક્ત ફાઇનાન્સરોની નજર ટાળવા માટે કરવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે રાયબરેલીમાં મોરાંગ ઉપાડીને ટ્રક ફતેહપુર પરત આવી રહી હતી.