UP By-Election 2024 : રાહુલ, અખિલેશ અને માયાવતીનો આ પ્લાન બીજેપી માટે મુશ્કેલી ઉભી કરશે, જાણો શુ છે રણનીતિ?
UP By-Election 2024 : લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ બીજેપી માટે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં પણ મોટી મુશ્કેલીઓ છે.
હવે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને માયાવતીની રણનીતિ બીજેપી માટે ટેન્શન વધારનારી છે. બીજેપી માટે પ્લાનમાંથી પાર ઉતરવુ અઘરૂ રહેશે.

લોકસભા બાદ ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. યુપીની તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે પ્લાનિંગ કરી રહી છે. જો કે હજુ સુધી યુપી પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.
જ્યાં એક તરફ સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે તો બીજી તરફ બસપા સુપ્રીમો માયાવતીએ પણ ચૂંટણી માટે અલગ રણનીતિ તૈયાર કરી છે.
બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો માયાવતીના નિર્દેશ પર પ્રયાગરાજ મંડલ પ્રભારીએ જિલ્લામાં ત્રણ વિધાનસભાની સમિતિઓની જાહેરાત કરી છે. અરુણ કુમાર અને મોહમ્મદ હાશિમને ખાગામાં વિધાનસભા પ્રભારી બનાવવામાં આવ્યા છે.
વિમલ પાસી અને વકીલ અહેમદને સદર વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે હુસૈનગંજમાં હરિશ્ચંદ્ર અને મઝહર સલમાનને વિધાનસભા પ્રભારી બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસની વાત કરીએ તો અનામતનો મુદ્દો હંમેશા તેમના એજન્ડામાં રહ્યો છે. તેથી તેઓએ લઘુમતી મુસ્લિમો અને પસમંદા મુસ્લિમોમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું છે.
કોંગ્રેસ તમામ પછાત અને અત્યંત પછાત સમુદાયોના નેતાઓને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો અખિલેશ યાદવે પેટાચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે.
જો કે હજુ સુધી સીટોની વહેંચણી થઈ નથી, પરંતુ અખિલેશ યાદવ સ્પષ્ટ કહે છે કે સપા પીડીએની નીતિ પર જ ચૂંટણી મેદાનમાં ઉતરશે.












Click it and Unblock the Notifications
