UP Election Results 2022 : જાણો યુપીના બાહુબલી ઉમેદવારો સાથે શું થયું, કોણ આગળ, કોણ પાછળ?
ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
લખનૌ, 10 માર્ચ : ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી 256 થી વધુ સીટો જીતી રહી છે. આ વખતે ઘણા બાહુબલી ઉમેદવારો પણ યુપીના ચૂંટણી મેદાનમાં છે, જેના પર બધાની નજર ટકેલી છે. આ સ્થિતિમાં ચાલો એક નજર કરીએ તે બાહુબલી ઉમેદવારો પર જેઓ યુપીના ચૂંટણી જંગમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
રઘુરાજ પ્રતાપ સિંહ
રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પ્રતાપગઢની કુંડા વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેઓ 1993થી સતત આ બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે. તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે અને જીતે છે. આ વખતે પણ તેઓ આ બેઠક પરથી આગળ છે અને તેમની જીત લગભગ નિશ્ચિત છે. રાજા ભૈયા સૌથી વધુ 51.88 ટકા મતો એટલે કે 57467 મતો સાથે આગળ છે, જ્યારે સપાના ગુલશન યાદવ 34.93 ટકા મતો સાથે બીજા ક્રમે છે.
ધનંજય સિંહ
બાહુબલી નેતા ધનંજય સિંહ જૌનપુરની મલ્હની સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેઓ આ વખતે જેડીયુની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ ધનંજય સિંહ સપાના ઉમેદવાર લકી યાદવને ટક્કર આપી રહ્યા છે. લકી યાદવ 43 ટકા મતો એટલે કે 81242 મતો સાથે પ્રથમ નંબરે છે, જ્યારે ધનંજય સિંહ 35.36 ટકા મતો એટલે કે 66680 મતો સાથે બીજા નંબરે છે.
વિજય મિશ્રા
પ્રગતિશીલ માનવ સમાજ પાર્ટી તરફથી બાહુબલી વિજય મિશ્રા આ વખતે ભદોહી જિલ્લાની જ્ઞાનપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. હાલમાં તે જેલમાં છે અને જેલમાંથી જ ચૂંટણી લડી રહ્યા છે. તેમના માટે ચૂંટણી પ્રચાર પત્ની રામલીલી અને પુત્રી રીમાએ કર્યો હતો. હાલમાં વિજય સિંહ 16.38 ટકા મતો સાથે ત્રીજા સ્થાને છે. નિષાદ પાર્ટીના વિપુલ દુબે 33.53 ટકા મતો સાથે પ્રથમ ક્રમે છે.
અબ્બાસ અંસારી
બાહુબલી મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારી મઉ સદરથી આગળ છે. તેઓ 52.58 ટકા એટલે કે 83290 વોટ સાથે નંબર વન પર છે. તેઓ આ સીટ પર એકતરફી જીત નોંધાવે તેમ જણાય છે. બીજેપીના અશોક કુમાર સિંહ 45325 વોટ સાથે બીજા નંબર પર છે.
અમન મણિ ત્રિપાઠી
બાહુબલી અમરમણિનો પુત્ર અમનમણિ મહારાજગંજની નૌતનવા સીટ પરથી ત્રીજા સ્થાને છે. તેમને 28927 મત મળ્યા છે, જ્યારે નિષાદ પાર્ટીના ઋષિ 57230 મતો સાથે પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે સપાના કુંવર કૌશલ સિંહ 48231 વોટ સાથે છે.