સ્મારક કૌભાંડ : માયાવતીને ક્લીનચિટ, નસીમુદ્દીન ફંસાયા

આ ઘોટાળામાં લોકાયુક્તના પૂર્વ મંત્રી બાબૂ સિંહ કુશવાહા અને નસીમુદ્દીન સિદ્દીકી સહીત 199 લોકોને જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટમાં ઘોટાળાબાજ ઓફિસરો અને નેતાઓ પાસે ત્રીજ ટકા રકમ વસૂલવાની ભલામણ કરવામાં આવી હતી અને સાથે જ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લોકાયુક્તએ પોતાની તપાસ રિપોર્ટમાં બીએસપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને ક્લીન ચિટ આપી છે. લોકાયુક્તનું કહેવું છે કે સ્મારક બનાવવા માટે 1400 કરોડ રુપિયાનો ઘોટાળો છે. લોકાયુક્તએ રિપોર્ટમાં કહ્યું છે કે સ્મારક બનાવવામાં પૂર્વ મંત્રી બાબૂ સિંહ કુશવાહા અને નસીમુદ્દીન સિદ્દીકી આ આખા મામલામાં મુખ્ય દોષી છે. સ્મારક બનાવવા માટે રૂપિયા લઇને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ થતી વખતે પણ કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા.
લોકાયુક્તે પોતાના રિપોર્ટમાં કહ્યું કે 1400 કરોડ રૂપિયાના ઘોટાળાની રકમ જનતાની કમાઇ છે. લોકાયુક્તના પૂર્વ મંત્રી બાબૂ સિંહ કૂશવાહ અને નસીમૂદ્દીન સિદ્દીકી પાસે ઘોટાળાની રકમની રિકવરી કરવાની ભલામણ કરી છે.












Click it and Unblock the Notifications
