UP News: સીએમ યોગી આદિત્યનાથ 1148 પોલીસકર્મીઓને આજે નિમણુક પત્ર સોંપશે
Lucknow: સીએમ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ દ્વારા પસંદ કરાયેલા 1148 પોલીસકર્મીઓને ગુરુવારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે લોક ભવન બિલ્ડીંગમાં યુપી પોલીસમાં ભરતી થયેલા નવા પસંદ કરાયેલા પોલીસકર્મીઓને નિમણૂક પત્ર આપશે. આ દરમિયાન લખનઉ સિવાય કાનપુર નગર, અયોધ્યા, દેવીપાટન અને પ્રયાગરાજ સહિતના તમામ જિલ્લાના પસંદ કરાયેલ ઉમેદવારો તેમાં ભાગ લેશે.

સરકારી પ્રવકતાના જણાવ્યા મુજ ગુરુવારે સીએમ યોગી આદિત્યનાથ પોલીસ ભરતી તેમદ પ્રમોશન બોર્ડ દ્વારા મિનિસ્ટ્રિયલ કેડર હેઠળ ઉપનિરીક્ષક, સહાયક ઉપનિરીક્ષકો અને રમતગમત કોટા હેઠળ પસંદગી પામેલ ઉમેદવારો સહિત કુલ 1377 પોલીસકર્મીઓને નિમણૂક પત્ર સોંપશે. આમાં 217 ઉપનિરીક્ષક(ગોપનીય), 587 સહાયક ઉપનિરીક્ષક(લિપિક), 344 સહાયક ઉપનિરીક્ષક(લેખા) અને રમતગમત કોટા હેઠ 229 આરક્ષી સામેલ છે.
સીએમ યોગી ટૉપ 35 અભ્યર્થીઓને પોતાના હાથે નિમણૂક પત્ર સોંપશે. આ દરમિયાન કમિશ્નરેટ લખનઉ, લખનઉ પરિક્ષેત્રના બધા જિલ્લાઓના અભ્યર્થીઓ ઉપરાંત કમિશ્નરેટ કાનપુર નગર, અયોધ્યા, દેવાપાટન, પ્રયાગરાજ ક્ષેત્રથી પસંદગી પામેલ અભ્યર્થીઓને યુપી પોલીસના નિમણૂક પત્ર સોંપવામાં આવશે.












Click it and Unblock the Notifications
