યુપીઃ કન્નૌજ બસ દૂર્ઘટનામાં 20ના મોત, વળતરનુ એલાન, PM એ વ્યક્ત કર્યુ દુઃખ
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ.
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા. વળી, 21 લોકો ઘાયલ છે. કન્નૌજના જિલ્લાધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યુ કે આગ પર કાબુ મેળવી લેવાયો છે. વળી, આ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 21 લોકોને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બસ સંપૂર્ણપણે બળી ગઈ છે. 21 ઘાયલોમાંથી 13ને મેડીકલ કોલેજ તિર્વામાં રિફર કરવામાં આવ્યા છે.

આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે. સીએમ યોગીએ ઘાયલોને તત્કાલ ઈલાજ કરાવવાના નિર્દેશ આપીને સમગ્ર મામલે ડીએમ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. સાથે જ મૃતકોના પરિજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે બસ ફરુખાબાદથી જયપુર જઈ રહી હતી. કન્નૌજના છિબરાઉના ઘિલોઈ ગામ પાસે ઝડપથી આવી રહેલી ટ્રક સાથે બસની ટક્કર થઈ ગઈ. જોત જોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ.
Prime Minister Narendra Modi: I am deeply saddened to know about the horrific road accident in Uttar Pradesh's Kannauj. Several people have lost their lives in the accident. I express my condolences to the bereaved families and wish speedy recovery to the injured persons. pic.twitter.com/prZdMasCHu
— ANI (@ANI) 11 January 2020
દૂર્ઘટના નજરે જોનાર સાક્ષીઓનુ કહેવુ છે કે બસ સંપૂર્ણપણે મુસાફરોથી ભરેલી હતી. બસમાં આગ લાગ્યા બાદ ત્યાં અફડાતફડીનો માહોલ બની ગયો. ટક્કર બાદ ભીષણ આગ લાગી ગઈ. લોકોએ બસમાંથી નીકળવાની કોશિશ કરી. નજરે જોનારાની માનીએ તો બસમાં 60થી વધુ લોકો હતા અને બસ આખી ખીચોખીચ ભરેલી હતી. જો કે બસમાંથી માત્ર 10-12 લોકો જ ઉતરવામાં સફળ થઈ શક્યા અને બાકીના લોકો બસમાં ફસાઈ ગયા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
