Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુપીઃ કન્નૌજ બસ દૂર્ઘટનામાં 20ના મોત, વળતરનુ એલાન, PM એ વ્યક્ત કર્યુ દુઃખ

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ.

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા. વળી, 21 લોકો ઘાયલ છે. કન્નૌજના જિલ્લાધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યુ કે આગ પર કાબુ મેળવી લેવાયો છે. વળી, આ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 21 લોકોને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બસ સંપૂર્ણપણે બળી ગઈ છે. 21 ઘાયલોમાંથી 13ને મેડીકલ કોલેજ તિર્વામાં રિફર કરવામાં આવ્યા છે.

accident

આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે. સીએમ યોગીએ ઘાયલોને તત્કાલ ઈલાજ કરાવવાના નિર્દેશ આપીને સમગ્ર મામલે ડીએમ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. સાથે જ મૃતકોના પરિજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે બસ ફરુખાબાદથી જયપુર જઈ રહી હતી. કન્નૌજના છિબરાઉના ઘિલોઈ ગામ પાસે ઝડપથી આવી રહેલી ટ્રક સાથે બસની ટક્કર થઈ ગઈ. જોત જોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ.

દૂર્ઘટના નજરે જોનાર સાક્ષીઓનુ કહેવુ છે કે બસ સંપૂર્ણપણે મુસાફરોથી ભરેલી હતી. બસમાં આગ લાગ્યા બાદ ત્યાં અફડાતફડીનો માહોલ બની ગયો. ટક્કર બાદ ભીષણ આગ લાગી ગઈ. લોકોએ બસમાંથી નીકળવાની કોશિશ કરી. નજરે જોનારાની માનીએ તો બસમાં 60થી વધુ લોકો હતા અને બસ આખી ખીચોખીચ ભરેલી હતી. જો કે બસમાંથી માત્ર 10-12 લોકો જ ઉતરવામાં સફળ થઈ શક્યા અને બાકીના લોકો બસમાં ફસાઈ ગયા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X