યુપીમાં 15મી માર્ચથી વિદ્યાર્થીઓને મળશે લૅપટૉપ : અખિલેશ
લખનૌ, 24 ફેબ્રુઆરી : જે વિદ્યાર્થીઓએ ગત વર્ષે 12મું ધારણ પાસ કર્યું છે, તેઓ ટુંકમાં જ હાઈકેક શિક્ષણ ક્ષેત્રે પગલું મૂકશે. શક્ય છે કે 15મી માર્ચથી, કારણ કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ 12મું ધારણ પાસ વિદ્યાર્થીઓને ટુંકમાં જ લૅપટૉપ પ્રદાન કરવા જઈ રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લૅપટૉપ વિતરણની શરુઆત લખનૌથી 15મી માર્ચે થઈ શકે છે.

ગત વર્ષે વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાજવાદી પક્ષ એટલે કે એસપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં 12મું ધારણ પાસ વિદ્યાર્થીઓને લૅપટૉપ તથા ટૅબલેટ આપવાનો વાયદો કર્યો હતો અને આ યોજના ઉપર અમલ કરતાં સત્તામાં આવેલા અખિલેશ યાદવે 15મી માર્ચ અગાઉ જ પોતાનો વાયદો પૂર્ણ કરવાની તૈયારી કરી લીધી છે. લૅપટૉપ વિતરણની યોજના તૈયાર થઈ ચુકી છે. કયા વિસ્તારના વિદ્યાર્થીઓને લૅપટૉપ અપાશે, તે પણ નક્કી થઈ ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે લૅપટૉપનું વિતરણ પાટનગર લખનૌના વિદ્યાર્થીઓ સાથે શરૂ કરાઈ શકે છે. પછી અન્ય જિલ્લાઓનો વારો આવશે. પહેલા તબક્કામાં લગભગ પાંચ હજાર લૅપટૉપ વિતરિત કરવામાં આવશે. રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને મફત લૅપટૉપ આપવાનું કામ ઝડપથી શરૂ કર્યું છે. તે માટે 21મી ફેબ્રુઆરીના રોજ લખનૌમાં તમામ જિલ્લા અધિકારીઓને બોલાવી પોર્ટલ અપડેટ કરવાની તાલીમ પણ આપવામાં આવી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
