ઉત્તરકાશી ટનલ બચાવ કાર્યઃ ટૂંક સમયમાં બહાર આવી શકે છે ફસાયેલા 41 મજૂર, ડૉક્ટરો તૈયાર
Uttarkashi Silkayara Tunnel Rescue Operation: ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં 12 નવેમ્બરે સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડતાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને માત્ર થોડા કલાકોમાં (સવારે 8 વાગ્યા સુધી) બહાર કાઢવામાં આવશે.
બચાવ કાર્યકર્તાઓએ કાટમાળ વચ્ચે 45 મીટર પહોળી પાઈપો સફળતાપૂર્વક નાખી દીધી છે. હાલમાં છેલ્લી પાઇપ 800 એમએમ નાખવામાં આવી રહી છે. સુરંગની બહાર ડોક્ટરો અને એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.

રેસ્ક્યુ ઑપરેશન ટીમના સભ્ય ગિરીશ સિંહ રાવતે જણાવ્યું હતું કે, "બચાવ ઑપરેશન લગભગ અંતિમ તબક્કામાં છે. પાઈપલાઈન ડ્રિલિંગમાં જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે ઉકેલાઈ ગયો છે. કાટમાળમાં ફસાયેલા સ્ટીલના ટુકડા કાપીને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. પાઈપલાઈન નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 1-2 કલાકમાં પરિણામ અપેક્ષિત છે."
પડકારજનક બચાવ કામગીરીમાં પાઇપ નાખવા માટે ડ્રિલિંગ દરમિયાન ટનલની અંદરના કાટમાળમાં ફસાયેલા સ્ટીલના સળિયાની શોધ સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
જીજી-લા ટનલના પ્રોજેક્ટ હેડ હરપાલ સિંહના જણાવ્યા અનુસાર, "અમને કાટમાળમાં સ્ટીલના કેટલાક સળિયા મળ્યા છે. મશીન તે સળિયાને કાપી શકતું નથી. તેથી NDRFના જવાનો તે સળિયાને કાપી નાખશે અને પછી અમે મશીનનો ઉપયોગ ફરીથી ઉપયોગ કરીશુ."
હરપાલ સિંહે બુધવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે, "આ પ્રક્રિયામાં 1થી 1.30 કલાકનો સમય લાગવાની ધારણા છે. આ ઉપરાંત, ફસાયેલા કામદારોને બચાવવા માટે આડી ડ્રિલિંગ દ્વારા બે 6 મીટર પાઇપ નાખવાની હતી. મને આશા છે કે ફસાયેલા કામદારોને આવતીકાલે સવારે 8 વાગ્યા સુધીમાં બચાવી લેવામાં આવશે."
પીટીઆઈ અનુસાર, એનડીઆરએફની એક ટીમ ટનલમાં પ્રવેશતી જોવા મળી હતી. કામદારો માટે શ્રેષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ (હાર્ટ સ્પેશિયાલિસ્ટ) સહિત 15 ડૉકટરોની ટીમ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. ઘટના સ્થળે 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Rescue operation underway at the Silkyara tunnel to rescue the 41 trapped workers pic.twitter.com/kJMIu1fuuG
— ANI (@ANI) November 23, 2023
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
