પ્રિયંકા ગાંધી સામે રાયબરેલી સીટ પર ચૂંટણી લડવાનો વરૂણ ગાંધીએ ઈન્કાર કર્યો, જાણો કેમ ઠુકરાવી ઓફર?
વરૂણ ગાંધીની બીજેપીએ પીલીભીતથી ટિકીટ કાપી છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે તેમણે રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.
વરુણ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાની બીજેપીની ઓફરને ફગાવી દીધી છે. અટકળો છે કે તેમની પિતરાઈ બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠક પરથી ચૂંટણી લડશે.

ઈન્ડિયા ટુડે અનુસાર, બીજેપીએ વરુણને રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને તેણે નકારી કાઢી છે.
રિપોર્ટ અનુસાર, રાયબરેલી સીટ કોંગ્રેસનો ગઢ છે અને સોનિયા ગાંધી 2004થી સતત જીતી રહ્યા છે. બીજેપી ઈચ્છતી હતી કે વરુણ આ વખતે ત્યાંથી ચૂંટણી લડે તો આ સીટ તેમની પાસે સરળતાથી આવી શકે છે.
અગાઉ કોંગ્રેસના સૂત્રોએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ વખતે તેમની માતા સોનિયા ગાંધી દ્વારા છોડવામાં આવેલી કૌટુંબિક વારસાની બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી શકે તેવી પ્રબળ સંભાવના છે. વાડ્રા અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી દૂર રહ્યા છે.
સોનિયા આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે અને હવે તેમણે લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. ત્યારથી એવી ચર્ચા છે કે તેમની પુત્રી અહીંથી ચૂંટણી લડી શકે છે.
અહેવાલો અનુસાર, પ્રિયંકાની રાયબરેલીથી ચૂંટણી લડવાની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે બીજેપીએ વરુણનો સંપર્ક કર્યો પરંતુ તે રાયબરેલીથી ચૂંટણી લડવા તૈયાર નહોતા. રિપોર્ટ અનુસાર, વરુણ ગાંધી વિરુદ્ધ ગાંધી સંઘર્ષથી દૂર રહેવા માંગે છે.
જણાવી દઈએ કે, બીજેપીએ હજુ સુધી રાયબરેલીમાંથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેઠીની જેમ આ વખતે રાયબરેલીમાં પણ કોંગ્રેસની રમત આસાન થવા દેવા નથી માંગતી.
અગાઉ ભાજપે વરુણની પીલીભીત બેઠક પરથી જીતિન પ્રસાદને ટિકિટ આપી છે, જ્યાં પહેલા તબક્કામાં ચૂંટણી થઈ ચૂકી છે. ટિકિટ કપાયા બાદ વરુણે પીલીભીતના લોકોને એક ભાવુક પત્ર લખીને તેમની સાથે પુત્રની જેમ જોડાયેલા રહેવાનું વચન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
