For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 દિવસ પછી રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય છાત્ર નવીનનુ શબ પહોંચ્યુ ભારત, PM મોદીએ વ્યક્ત કર્યો આભાર

યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધમાં ભારતીય છાત્ર નવીન શેખરપ્પા જ્ઞાનગોદરનુ ઘણી મહેનત અને મુશ્કેલીઓ બાદ રવિવારે નવીનનુ શબ બેંગલુરુ પહોંચી ગયુ.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધમાં ભારતીય છાત્ર નવીન શેખરપ્પા જ્ઞાનગોદરનુ મોત થઈ ગયુ હતુ. ત્યારબાદથી જ નવીનના પરિવારજનો શબને ભારત લાવવાની માંગ કરી રહ્યા હતા. ત્યારબાદ ઘણી મહેનત અને મુશ્કેલીઓ બાદ રવિવારે નવીનનુ શબ બેંગલુરુ પહોંચી ગયુ. નોંધનીય વાત છે કે નવીનનુ મૃત્યુ 1 માર્ચે થયુ હતુ એવામાં લગભગ 20 દિવસ બાદ નવીનનુ શબ ભારત પાછુ આવ્યુ છે. નવીન યુક્રેનમાં એમબીબીએસનો છાત્ર હતો. બેંગલુરુમાં જ્યારે નવીનનુ શબ પહોંચ્યુ તો કર્ણાટકના મુખ્યમંત્રી બાસવારાજ બોમ્મઈએ એરપોર્ટ પર પહોંચીને તેને શ્રદ્ધાંજલિ આપી.

bengaluru

નવીનનુ શબ બેંગલુરુ પહોંચ્યા બાદ મુખ્યમંત્રી બાસવારાજ બોમ્મઈએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારના પ્રયાસો માટે આભાર માનુ છુ. તેમણે યુક્રેનમાં હુમલામાં મૃતક નવીના શબને લાવવાની પૂરી કોશિશ કરી. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે આપણે નવીનના હુમલામાં ગુમાવી દીધો. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરીને કહ્યુ કે આદરણીય પ્રધાનમંત્રીજી તમારી કોશિશોથી નવીનનો પાર્થિવ દેહ સોમવારની સવારે 2.45 વાગે પાછો આવી શક્યો. હું કર્ણાટકના લોકો માટે તમારી આ ગંભીર ચિંતા માટે આભાર વ્યક્ત કરુ છુ. હું હજારો છાત્રોને સ્વદેશ પાછા લાવવામાં તમારી કોશિશો માટે આભાર પ્રગટ કરુ છુ.

English summary
Victim of Russian attack in Ukraine, Indian Student Naveen's mortal remains reaches India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X