આવતી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 300 સીટ નહિ જીતી શકેઃ ગુલામ નબી આઝાદ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધિત કરીને પૂર્વ મુખ્યમંત્રી ગુલાન નબી આઝાદે કહ્યુ કે 'હું કોઈને ભ્રમમાં નથી રાખવા માંગતો, મને નથી લાગતુ કે આવતી લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટી 300 સીટો જીતી શકશે કારણકે સ્થિતિ હજુ પણ પાર્ટીના હિસાબે નથી.'

આર્ટિકલ 370 માટે ગુલામ નબી આઝાદે કહ્યુ કે, 'ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 રદ કર્યુ છે માટે તે તેને લાગુ નહિ કરે, કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. જો હું તમને સહુને કહુ કે હું આને પાછો લાવીશ, તો આ જૂઠ હશે અને તમારી સાથે ખોટી વાત કરવા સમાન ગણાશે.' જો કે તેમણે એ પણ કહ્યુ કે, 'આપણને પોતાના દેશ પર ગર્વ છે કે આપણે સહુ અહીં શાંતિથી રહીએ છીએ. સરકારો આવે છે અને જાય છે. કોઈ હંમેશા માટે નથી. જો કોઈ હંમેશા માટે છે તે છે પરસ્પર ભાઈચારો માટે આપણે તેને બચાવીને રાખવાનો છે.'
પાર્ટીના અમુક નેતાઓને ખરાબ લાગી શકે છે આઝાદનુ નિવેદન
ગુલામ નબી આઝાદનુ આ પ્રકારનુ નિવેદન પાર્ટીના અમુક લોકોને ન ગમી શકે કારણકે આઝાદ પહેલેથી જ પાર્ટીના અમુક લોકોના નિશાના પર છે. છેલ્લા થોડા દિવસોમાં તેમણે જ્યારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી ત્યારથી તે પાર્ટીના અમુક લોકોના વિરોધનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ તો જમ્મુમાં ખુલીને તેમનુ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને તેમના પૂતળા પણ બાળ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓનુ કહેવુ હતુ કે કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદને આટલુ સમ્માન મળ્યુ છે અને જ્યારે આજે કોંગ્રેસ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે તે પીએમ મોદીના ગુણગાન કરી રહ્યા છે, આ યોગ્ય નથી.
શું કહ્યુ હતુ ગુલામ નબી આઝાદે?
તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જમીન સાથે જોડાયેલ નેતા કહ્યા હતા. આઝાદે કહ્યુ હતુ કે, 'પીએમ મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે પરંતુ આજે પણ તે ખુદને ચાવાળાનો દીકરો કહીને સંબોધિત કરે છે, એ તેમનુ મોટપણ છે. વ્યક્તિ એ જ છે, જે પોતાની જડ અને ઓળખને નથી ભૂલતો. તેના માટે હું તેમની દિલથી પ્રશંસા કરુ છુ.'
#WATCH | Addressing a rally in J&K's Poonch, former CM & senior Congress leader Ghulam Nabi Azad on Wednesday said he does not see the party winning 300 seats in the next general elections. pic.twitter.com/fsoRuCtnpH
— ANI (@ANI) December 2, 2021
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
