Video: રાહુલ ગાંધી હાથરસ દૂર્ઘટના બાદ પીડિતોના ઘરે પહોંચ્યા, કહ્યુ - 'ચિંતા ના કરો, હવે અમે તમારો પરિવાર'
Rahul Gandhi meets Hathras stampede: કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અલીગઢમાં હાથરસ નાસભાગની દુર્ઘટનાના પીડિતોને મળ્યા હતા. રાહુલ ગાંધી અલીગઢમાં ત્રણ પીડિત પરિવારોને મળ્યા અને તેમને કહ્યું, ચિંતા કરશો નહીં, હવે તમે લોકો અમારો પરિવાર છો.
રાહુલ ગાંધીએ કહ્યું, "હાથરસ કેસમાં કોઈ રાજનીતિ ન હોવી જોઈએ, પરંતુ વહીવટીતંત્રની બેદરકારી જોવા મળી છે. ઘણા પરિવારોને નુકસાન થયું છે, ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હું રાજકીય સ્તરે આ કહેવા માંગતો નથી પરંતુ આ વહીવટનો અભાવ છે. ભૂલો તો થઈ છે અને તેની તપાસ થવી જોઈએ.''

રાહુલ ગાંધીએ કહ્યું, "સૌથી મહત્વની બાબત એ છે કે હવે દરેકને યોગ્ય રીતે અને સમયસર વળતર મળવું જોઈએ. કારણ કે આ ગરીબ પરિવારો છે અને આ મુશ્કેલ સમય છે, આ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે."
હાથરસ નાસભાગમાં 121 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે (4 જુલાઈ) ભોલે બાબા ઉર્ફે સૂરજ પાલના સન્માનમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર પેનલના છ સભ્યોની ધરપકડ કરી હતી.
રાહુલ ગાંધી શુક્રવારે સવારે સૌથી પહેલા અલીગઢના પીલખાના ગામમાં મંજુ દેવીના ઘરે પહોંચ્યા હતા. હાથરસ અકસ્માતમાં મંજુ દેવી અને તેમના પુત્રનું મૃત્યુ થયું હતું. જે બાદ રાહુલ ગાંધી અલીગઢના નવીપુર ખુર્દ ગામ પહોંચ્યા, જ્યાં શાંતિ દેવીનું નિધન થયું. રાહુલ ગાંધીએ તેમને આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. બાદમાં તેઓ હાથરસ પહોંચ્યા.
રાહુલ ગાંધીની મુલાકાત પછી, શોકગ્રસ્ત પરિવારના સભ્યએ કહ્યું, "તેમણે અમને કહ્યું કે તેઓ પાર્ટીની મદદથી અમારી મદદ કરશે... તેમણે અમને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું."
અન્ય એક શોકગ્રસ્ત પરિવારના સભ્યએ કહ્યું, "મારી પત્ની અને બે પુત્રીઓ સત્સંગમાં ગયા હતા. મારી નાની પુત્રીએ મારી મોટી પુત્રીના ખોળામાં અંતિમ શ્વાસ લીધા કારણ કે તેઓ બંને ભીડમાં અટવાઈ ગયા હતા. તે (રાહુલ ગાંધી) આવી રહ્યા છે. જે કંઈ પણ પૂછશે, અમે જણાવીશુ. ઘણા લોકો ઘરે આવ્યા અને અમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી.''
પોલીસ મહાનિરીક્ષક (અલીગઢ રેન્જ) શલભ માથુરે કહ્યું કે, ''આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર ફરાર છે. પોલીસ તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરશે. મુખ્ય આરોપી દેવપ્રકાશ મધુકર સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) પણ જારી કરવામાં આવશે."
જો કે, જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે, સૂરજ પાલ, જેને નારાયણ સાકર હરી અને ભોલે બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની સામે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ભોલે બાબાના પગની ધૂળ એકઠી કરવા મહિલાઓ તેમની તરફ દોડી હતી, ત્યારબાદ ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
યુપી પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં પણ સૂરજ પાલ (ભોલે બાબા)નું નામ નથી. જો કે પોલીસ જરૂર પડ્યે તેની પૂછપરછ કરવાનું વિચારી રહી છે. પોલીસે તેના મૈનપુરી આશ્રમમાં તપાસ કરી, પરંતુ તે મળી શક્યો નહીં.
#WATCH | Hathras, UP: Congress MP and LoP in Lok Sabha, Rahul Gandhi speaks to the victims of the stampede that took place in Hathras on July 2 claiming the lives of 121 people. pic.twitter.com/pyk0TXBk0H
— ANI (@ANI) July 5, 2024
#WATCH | Hathras Stampede Accident | Hathras, UP: Before Lok Sabha LoP Rahul Gandhi's visit, a member of a bereaved family says, "My wife and two daughters had gone there in Satsang... My young daughter took her last breath in the lap of my elder daughter as they both got stuck… pic.twitter.com/Bll6WxwfVX
— ANI (@ANI) July 5, 2024
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
