કેજરીવાલનો સ્ક્રિપ્ટેડ ડ્રામા હતી 49 દિવસની સરકારઃ બિન્ની
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધાના થોડાક સમય બાદ જ તેમના પર શબ્દોના બાણ ચાલવા લાગ્યા. તેમના જ સાથી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ કહ્યું કે, આ બધુ કેજરીવાલનો સ્ક્રિપ્ટેડ ડ્રામા છે. અરવિંદ કેજરીવાલનો હેતુ ક્યારેય વિધાનસભા હતો જ નહીં, હું તેમને નજીકથી જાણું છું. તેમનો હેતુ લોકસભા છે. દિલ્હીની જનતાને મુર્ખ બનાવવામાં આવી રહી હતી. તમે તો એવી વસ્તુઓ ઇચ્છી રહ્યાં છો કે બધુ ઉલઝાવી દો અને પોતાને પાકસાફ બતાવી દો.
બિન્નીએ કહ્યું કે કેજરીવાલનો હેતુ લોકસભા છે અને તેના માટે દિલ્હીની જનતાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેમની નજર વડાપ્રધાન પદ પર છે. કોંગ્રેસ, ભાજપ તૈયાર હતા તેમ છતાં તેમણે જીદ પકડી અને વિરોધ કર્યો. ખરા અર્થમાં તેમનો હેતુ જનલોકપાલ નથી, પરંતુ લોકસભા ચૂંટણી લડવા માટે રાજીનામું આપવાનો હતો. તેમણે બધુ ઉલઝાવી દીધુ અને પછી ભાજપ-કોંગ્રેસ પર આરોપ લગાવી દીધા.
બિન્નીએ કહ્યું કે કેજરીવાલને એટલી ઉતાવળ શા માટે હતી, લોકપાલ બિલ એક મહિના, બે મહિના પછી આવત, ચાર મહિના કે વર્ષ સુધી રાહ જોત, વારંવાર બિલને મોકલતા રહેત, પરંતુ તેમણે એવું કંઇ ના કર્યું. તેની પાછળનું સૌથી મોટું કારણ ભય હતો વાયદા પૂરા નહીં કરી શકવાનો. ‘આપ'એ જનતાને વચન આપ્યું હતું, જે પૂરુ કરી શક્યા નથી. જનતા હવે ધારાસભ્યોને કહી રહી છે કે તેમણે ઘણું વિચારીને મત આપ્યા હતા કે સારું પ્રશાસન મળશે, પરંતુ તે ભાગી ગયા.

બિન્નીએ શું કહ્યુ
કેજરીવાલનો હેતુ લોકસભા છે અને તેના માટે દિલ્હીની જનતાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેમની નજર વડાપ્રધાન પદ પર છે. કોંગ્રેસ, ભાજપ તૈયાર હતા તેમ છતાં તેમણે જીદ પકડી અને વિરોધ કર્યો.

ભાજપના હર્ષવર્ધને શું કહ્યું
તેઓ લોકોને અસહાય છોડીને રાજકારણમાં જતા રહ્યાં છે. હવે દિલ્હી હોય કે દેશ હોય, જનતા તેમના કારનામા સમજી ગઇ છે. તેમના આરોપ અને જુઠ્ઠાણું જગજાહેર થઇ ગયું છે. તેમને કોઇ ગંભીરતાથી લઇ રહ્યું નથી.

રવિશંકર પ્રસાદ
ભ્રષ્ટ કોંગ્રેસના ખભા પર ચઢીને સરકાર બનાવી હતી, ખોખલી ઘોષણા કરતા હતા, જે દિવસે સરકાર બની, ત્યારથી તેઓ બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યાં હતા. બળજબરીથી, ગેરકાયદે રીતે બિલ પાસ કરાવવાના પ્રયત્નો કરનારા આંદોલનકારી અને નિષ્ફળ શાસક કેજરીવાલ સ્થિતિઓને સમજી શક્યા નહીં.

સંદીપ દીક્ષિત
સૌથી પહેલા ભારત સરકાર લોકપાલ બિલ લાવી, તો અમે દિલ્હીમાં શા માટે અવરોધ ઉભા કરત, લોકસભા ચૂંટણી માટે તો અમે બધા તૈયાર છીએ.

વી. નારાયણ સ્વામી
કેન્દ્રીય રાજ્યમંત્રી વી. નારાયણ સ્વામીએ શુક્રવારે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જન લોકપાલ બિલ પર એટલા માટે જોર લગાવી રહ્યાં છે કે કારણ કે તે સસ્તી લોકપ્રિયતાના ભૂખ્યા છે. વડાપ્રધાન કાર્યાલયના પ્રભારી મંત્રીએ કહ્યું કે, એ કેન્દ્રીય મંત્રી હોય કે પછી રાજ્યમંત્રી બધા જ સંવિધાનથી બંધાયેલું છે. તેમને કાયદા અનુસાર કામ કરવાનું હોય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
