SCને કેન્દ્રએ કહ્યુ - લૉકડાઉન દરમિયાન વેતન ચૂકવણી કંપની અને કામદારો વચ્ચેની બાબત
લૉકડાઉન દરમિયાન કારખાનાઓમાં કામ કરતા મજૂરોના વેતન અને મજૂરીની ચૂકવણી વિશે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.
લૉકડાઉન દરમિયાન કારખાનાઓમાં કામ કરતા મજૂરોના વેતન અને મજૂરીની ચૂકવણી વિશે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે લૉકડાઉન સમયગાળા દરમિયાન શ્રમિકોની મજૂરીની ચૂકવણી માલિક અને કામદારો વચ્ચેની બાબત છે. વળી, સુપ્રીમ કોર્ટે માન્યુ કે આ અંગે કંપની અને શ્રમિકો વચ્ચે અમુક વાતચીત થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક અંતરિમ આદેશ પાસ કર્યો કે વેતનની પૂર્ણ ચૂકવણી માટે 29 માર્ચની અધિસૂચનાના અનુપાલમાં નિષ્ફળતા માટે કંપની સામે કોઈ કડક કાર્યવાહી ન કરવી જોઈએ.

અમુક સમાધાન કાઢવા માટે ચર્ચા થવી જોઈએ
વેતન ચૂકવણી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની 29 માર્ચની અધિસૂચના સામે જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ એમઆર શાહની પીઠે ગુરુવારે કરી. આ બાબતે જસ્ટીસ કૌલે કહ્યુ કે આપણે 29 માર્ચની અધિસૂચનાથી ચિંતિત છે. આ 100 ટકા ચૂકવણી અને અભિયોજનની માંગ કરે છે. અમારી પાસે આના પર આરક્ષણ છે. આ સમય માટે અમુક સમાધાન કાઢવા માટે અમુક ચર્ચા થવી જોઈએ.

મજૂરીની પૂરી ચૂકવણીનો આદેશ આપ્યો હતો
કેન્દ્રએ અદાલતને જણાવ્યુ કે તેણે શ્રમિકોના પલાયનને તેમના કાર્યસ્થળોએથી તેમના ઘરે જતા રોકવા માટે મજૂરીની પૂરી ચૂકવણીનો આદેશ આપ્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે અર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરી શકાય. કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચે આ બાબતે વાત થાય કે લૉકડાઉનની અવધિ દરમિયાન કેટલી વેતન ચૂકવણી થઈ શકે છે.

ચુકાદો 12 જૂને સંભળાવવામાં આવશે
પીઠે જો કે 100 ટકા વેતન ચૂકવણી કરવા માટે દિશા-નિર્દેશની વ્યવહારુતા વિશે ચિંતા વ્યક્ત કરી જ્યારે ઉદ્યોગો અને પ્રતિષ્ઠાનોને બંધ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યુ કે અમે 29 માર્ચની અધિસૂચનાથી ચિંતિત છે. આ 100 ટકા ચૂકવણી અને અભિયોજનની માંગ કરે છે. અમારી પાસે આના પર આરક્ષણ છે. આ અવધિ માટે અમુક સમાધાન કાઢવા માટે અમુક ચર્ચા થવી જોઈએ. આ બાબતે ચુકાદો 12 જૂને સંભળાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
