ભાજપના નેતા ગિરિરાજ સામે હેટ સ્પીચ કેસમાં એરેસ્ટ વોરંટ
બોકારો, 23 એપ્રિલ : ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં બોકારોની એક કોર્ટે આજે ભાજપના નેતા ગિરિરાજ સિંહ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.
સબ ડિવિઝનલ જ્યૂ઼ડિશયલ મેજિસ્ટ્રેટ અમિત શેખરે આ વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ ગિરિરાજ સિંહની હેટ સ્પીચ માટે જારી કરવામાં આવ્યું છે. તાજતરમાં ગિરિરાજ સિંહે બોકારોમાં એક ચૂંટણી સભાને સંબોધતા દરમિયાન કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા પછી મોદીના વિરોધીઓને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ.

ચૂંટણી પંચે અગાઉ બિહારમાં તેમના ભાષણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેમની વિરુદ્ધ બોકારો પોલીસ સ્ટેશન, હારલા પોલીસ સ્ટેશન અને દેવગઢ એમ ત્રણ જગ્યાએ ફરિયાદ નોંધાઈ છે.
તેમની સામે આઇપીસીની કલમ 153 (એ), 295 (એ) અને 298 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
More From
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
