Wayanad landslides : વાયનાડ ભુસ્ખલનના કલાકો બાદ એલર્ટ મળ્યુ-CM પીનરાઈ વિજયન
એક તરફ કેરળના વાયનાડમાં ભુસ્ખલનને કારણે 200 થી વધુ લોકોના જીવ ગયા છે. બીજી તરફ આવા સંવેદનશીલ મુદ્દે પણ અમિત શાહે રાજનીતિ શરૂ કરી છે.
અમિત શાહે દાવો કર્યો હતો કે ભુસ્ખલન પહેલા વારંવાર કેરળ સરકારને એલર્ટ અપાયુ હતુ. જો કે આ દાવાને ખોટો ગણાવીને કેરળના મુખ્યમંત્રીએ કહ્યું છે કે ઘટનાના કલાકો બાદ એલર્ટ મળ્યુ.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગૃહમંત્રી અમિત શાહના દાવાને ખોટો ગણાવ્યો છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે વાયનાડ ભૂસ્ખલનની ઘટના પહેલા કોઈ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું નહોતું. આ સમય આરોપ-પ્રત્યારોપનો નથી.
મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, આ વિસ્તાર માટે કોઈ રેડ એલર્ટ નહોતું. જો કે, ઘટનાના થોડા કલાકો બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિત શાહે લોકોના મોત પર રાજનીતિ શરૂ કરતા લોકસભામાં કહ્યું હતું કે આપત્તિની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેરળ સરકારને પહેલેથી જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
અમિત શાહે કહ્યું કે મોટાભાગના રાજ્યો આપત્તિ પહેલા જારી કરવામાં આવેલી ચેતવણીઓ પર ધ્યાન આપે છે, પરંતુ કેરળ સરકારે આપત્તિને લઈને જારી કરવામાં આવેલી ચેતવણીની અવગણના કરી.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, વાયનાડમાં બચાવ કામગીરી ચાલુ છે. આ એક પીડાદાયક આપત્તિ છે. અત્યાર સુધીમાં 144 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 79 પુરૂષો અને 64 મહિલાઓ છે. 191 લોકો હજુ પણ ગુમ છે.
દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી શક્ય તેટલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બચાવાયેલા લોકોને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલની સ્થિતીએ આંકડો 200 પાર કરી ગયો છે.












Click it and Unblock the Notifications
